કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવનાર પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરનું રાહુલ અને પ્રિયંકા ગાંધી પરનું નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરે પક્ષપલટુ નેતાઓને ચીંધ્યો માર્ગ
કહ્યું રાજીવ ગાંધી મારા મિત્ર હતા
તેમના સંતાનો રાહુલ-પ્રિયંકા પર કોઈ પણ કોમેન્ટ નહીં
કેપ્ટન અમરિન્દરે કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી છે
ભાજપ સાથે મળીને લડી રહ્યાં છે પંજાબ વિધાનસભાની ચૂંટણી
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર પાર્ટી તો છોડી દીધી છે પરંતુ તેમની વફાદારી હજુ પણ એવીને એવી જ છે. કોંગ્રેસમાંથી અલગ થઈને નવી પાર્ટી બનાવીને તથા ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડનાર કેપ્ટન અમરિન્દરે એવું કહ્યું કે રાજીવ ગાંધી મારા મિત્ર હતા અને તેઓ મારા પરમ મિત્ર હતા તેથી હું તેમના સંતાનો રાહુલ અને પ્રિયંકા ગાંધી પર વ્યક્તિગત રીતે કોઈ કોમેન્ટ ન કરી શકું કે તેમની પર હુમલા પણ ન કરી શકું. તેમણે કહ્ુયં કે મેં કોંગ્રેસ છોડી નથી પરંતુ કોંગ્રેસે મને પાર્ટમાંથી કાઢ્યો છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન છે, જેના કારણે રાજકીય પક્ષોએ પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ છોડીને પંજાબ લોક કોંગ્રેસના નામથી અલગ પાર્ટી બનાવનારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે રાજીવ ગાંધી મારા મિત્ર હતા. તે અમારી સાથે ભણતા હતા. અમે તેમના બાળકો વિશે કંઇ કહીશું નહીં.
પ્રિયંકા મારી પ્રપૌત્રી જેવી-કેપ્ટન અમરિન્દર
પ્રિયંકાને બાળક કહેવા પર અમરિંદર સિંહે કહ્યું કે, "મારે છોકરાના છોકરા છે અને પ્રિયંકાના પિતા મારા સારા મિત્ર હતા. તેથી આ મારા માટે ફક્ત બાળકો જ નથી. રાહુલ ગાંધીની ઉંમર 50 કે 52 વર્ષની હશે અને પ્રિયંકાની પણ કંઇક આવી જ હશે. તેનો અર્થ એ નથી કે તે આઇન્સ્ટાઇન અથવા ખૂબ મોટા માણસ બન્યા. તેઓ સામાન્ય રાજકારણીઓ છે. બધા રાજકારણીઓની જેમ જ. સમય જતાં તેમને અનુભવ મળશે.
મેં કોંગ્રેસ છોડી નથી મને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યો
અમરિંદર સિંહે કહ્યું કે, લોકો શું સમજે છે તે હું જાણતો નથી. હું 40 વર્ષ સુધી કોંગ્રેસમાં હતો અને પછી જે રીતે મને હાંકી કાઢવામાં આવ્યો તે ખોટું હતું. તમામ ધારાસભ્યો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા અને મારી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.