શારદા ચિટફંડના કૌભાડ મામલે કેન્દ્રીય તપાસ બ્યૂરોની પૂછપરછ અને આ મુદ્દે ચાલી રહેલ વિવાદ વચ્ચે રાજ્ય સરકારે સોમવારે કોલકાતાના પોલીસ અધિકાર રાજીવ કુમારની પશ્વિમ બંગાળ CIDમાં બદલી કરી દેવામાં આવી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચના આદેશ અનુસાર એક પદ પર ત્રણ વર્ષથી રહેવાના કારણે લોકસભા ચૂંટણી પહેલા રાજીવ કુમારની બદલી ફરજીયાત હતી. આ કારણથી તેમને ગુપ્ત વિભાગમાં મોકવામાં આવ્યા છે.
તેમણે સોમવારે પોલીસ લાઇનમાં વિદાઇ આપવામાં આવી. હજી પણ આ નક્કી નથી કે તેમને ક્યા પદ પર મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે રાજીવ કુમારની જગ્યા પોલીસના અધિક ડિરેક્ટર જનરલ અનુજ શર્મા નવા પોલીસ આયુક્ત થઇ શકે છે. પરંતુ સરકારે ઓપચારિક રીતે નવી પોલીસ કમિશ્નરના નામનું એલાન નથી કર્યું.
સૂત્રોના જણાવ્યું કે સીબીઆઇએ કુમાર સહીત કેટલાક પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. તેમની સુનાવણી 20 ફેબ્રુઆરીએ થવાની છે. તેમના બે દિવસ પહેલા જ બદલી કરી દેવામાં આવી છે.