CAIT દ્વારા ભારત વ્યાપાર બંધની સફળતા બાદ જીએસટી અને ઈ કોમર્સના મુદ્દા પર 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દરેક રાજ્યો આંદોલન કાયમ રાખશે.
કૈટે કરી રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત
દેશમાં ચાલશે 5 એપ્રિલ સુધી આંદોલન
જીએસટી અને ઈ કોમર્સના મુદ્દા પર કાયમ રહેશે આંદોલન
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા 26 ફેબ્રુઆરીએ આયોજિત ભારત બંધની સફળતા બાદ હવે કૈટ જીએસટી અને ઈ કોમર્સના મુદ્દા પર આગામી 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશના તતમામ રાજ્યોને પોતાના આંદોલનને જાહેર કરવાનું કહી ચૂક્યું છે. કૈટે કહ્યું કે આ બંને મુદ્દા દેશના 8 કરોડ વ્યાપારીઓને સીધી રીતે અસર કરે છે અને બંને મુદ્દાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી દેશમાં વ્યાપારીઓનું આંદોલન કાયમ રહેશે. હાલમાં દેશભરમાં વ્યાપારી જીએસટીના પ્રાવધાન અને ઈ કોમર્સમાં વિજેશી કંપનીની સતત મનમાનીથી ત્ર્રસ્ત છે.
શું કહ્યું CAITએ
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રિય મહામંત્રી શ્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આજે આયોજિત એક વીડિયો કોન્ફરન્સમાં દેશના દરેક રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોના 275થી વધારે પ્રમુખ નેતાઓએ ભાગ લઈને સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે આ બંને મુદ્દા પર કેન્દ્ર સરકારને સીધો સવાલ જોબ કરાશે અને સાથે દેશ તેની જવાબદારીથી બચી શકશે નબીં. તેઓએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારોએ પોતાના હિત હઠધર્મિતાના આધારે જીએસટીના સાધારણ કાયદા અને નિયમોને વિકૃત કરવામાં કોઈ કસર છોડી નથી. આ માટે દેશમાં તેઓ આ મુદ્દે અભિયાન ચલાવશે.
એક મહિના સુધી ચાલશે આંદોલન
ભરતિયા અને ખંડેલવાલે કહ્યું કે જીએસટી અને ઈ કોમર્સને લઈને કૈટના રાષ્ટ્રિય આંદોલનને આવનારા ચરણમાં 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશમાં વ્યાપારિક સંગઠન આંદોલન માસના રૂપમાં ચલાવશે. દેશના 40 હજારથી વધારે વ્યાપારી સંગઠન અને જીએસટી અને ઈ કોમર્સના મુદ્દા પર રાજ્યપાસ, મુખ્યમંત્રી, નાણાંમંત્રી, જીએસટી આયુક્તના નામે દરેક જિલ્લાના કલેક્ટરને અપાશે. આ સાથે દરેક રાષ્ટ્રિય ગળ અને રાજ્ય સ્તરીય દળના અધ્યક્ષને પણ પોતાની રજૂઆત કરશે.