ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ ગીર સોમનાથના પ્રવાસે છે. ગીર સોમનાથમાં ભાજપના કાર્યાલય સોમ-કમલમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
ગીર-સોમનાથમાં પાટીલે ભાજપના કાર્યાલયનું કર્યું લોકાર્પણ
કાર્યકર્તાને કામે લાગી જવાની કરી હાકલ
કહ્યું-ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ દ્વારા અત્યારથી જ કાર્યકર્તાઓને કમર કસવાનું કહ્યું છે. ત્યારે સોમનાથના પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટિલ રમજી મૂડમાં જોવા મળ્યા હતા.
ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે : પાટીલ
સોમનાથમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા સી.આર.પાટીલે આગામી વિધાનસભા ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. તેમજ ધારાસભાની ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે અને પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોર્ટ હશે તેને જ ટિકિટ મળશે. એટલે કે નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને તક મળશે તેવી બાંહેધરી આપી હતી.તો કાર્યકર્તાઓને વધુમાં કહ્યું હતું કે, હવે સચિવાલયમાં તમને કોઈ રોકશે નહીં અને કોઈ ઉદ્ધતાઈ પણ નહીં કરે.
પેથાપુરના બાળકને લઈને પણ આપ્યું નિવેદન
ગાંધીનગરમાં ગત રાત્રે બનેલી 10 મહિન ના બાળકને તરછોડવાની ઘટનાને સી આર પાટીલે દુઃખદ ગણાવી છે. ભાજપના કાર્યકરો દ્વારા હાલ બાળકની સાર સંભાળ અને મેડિકલ ટ્રીટમેન્ટ થતી હોવાનું જણાવાયુ છે અને હવે આ મામલે કાયદાકીય પગલાં ભરવાની પણ ખાતરી આપી છે.
કમળ આકારના ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ હાલ ગીર સોમનાથ ની મુલાકાતે છે. ગીર સોમનાથ ના વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપનુ કરોડોના ખર્ચે ભવ્ય કાર્યાલય કમળ આકારનું નિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 400 અને 150ની ક્ષમતા ધરાવતા 2 મોટા હોલ પણ હશે. જે દેશમાં પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય પણ હશે. જેનું આજે ખાતમુહૂર્ત હતું. જેનું શાસ્ત્રોક્ત વિધિથી સીઆર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ છે. ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત સહિત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકોનું પણ ઇ-લોકાર્પણ પણ કર્યું હતું. અને ત્યારબાદ ખાતમુહૂર્ત સ્થળે સભા પણ સંબોધી હતી. અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે ગીર સોમનાથ ની જે ચાર વિધાનસભા હાલ કોંગ્રેસ ના કબ્જામાં છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચારેય વિધાનસભા પર ભાજપ ની જીત થશે. જેનો સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો.