મંગળવારની સવાર આજે મધ્યપ્રદેશના સીધીમાં અમંગળ શરૂ થઈ હતી. અહીં કેનાલમાં બસ ખાબકતા અત્યાર સુધી 38ના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ગોઝારો અકસ્માત
બસ નહેરમાં ખાબકી, 54 લોકો હતા સવાર
અત્યાર સુધી 38 શબ મળી આવ્યા, તપાસ ચાલુ
બાણસાગર ડેમથી નહેરમાં પાણી રોકી દેવાના આદેશ
અપડેટ :
મંગળવાર અમંગળ સાબિત થયો છે. મધ્યપ્રદેશના સીધીમાં કેનાળમાં બસ ખાબકતા 38 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં નહેરમાંથી 38ના મૃતદેહ બહાર કઢાયા છે. નહેરમાં ઘણા લોકો હજુ ગુમ છે ત્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા અત્યાર સુધી 35 શબ શોધી કાઢવામાં આવ્યા અને હજુ પણ ઘણા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
#UPDATE Madhya Pradesh: A total of 35 bodies recovered till now from the site in Sidhi where a bus, carrying around 54 passengers, fell into a canal today. 7 people were rescued. A search operation is underway. pic.twitter.com/Q47fSHhgUw
મધ્ય પ્રદેશના સીધીમાં ખૂબ ભયંકર અકસ્માત થયો છે જેમાં એક બસ નહેરમાં પડી ગઈ હતી જેમાં 54 લોકો સવાર હતા. અકસ્માત બાદ કોહરામ મચી ગયો હતો અને અત્યાર સુધી 30 લોકોના શબ મળી અવાયા છે અને 7 લોકોને બચાવવામાં આવ્યા છે.
હજુ પણ ચાલુ છે રેસ્ક્યૂ
અકસ્માત બાદ શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટ બેઠક સ્થગિત કરી છે અને બે મંત્રી ઘટનાસ્થળ પર જવા માટે રવાના થયા છે. સાથે જ સતત રેસ્ક્યૂ ઓપરેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના સમાચાર છે.
ડેમનું પાણી રોકી દેવાયું
અકસ્માત બાદ બાણસાગર ડેમથી નીકળતું પાણી બંધ કરી દેવાયું છે જેથી પાણીનો તેજ પ્રવાહ રોકી શકાય. ક્રેન દ્વારા પહેલા બસને શોધવાની કોશિશ કરાઈ હતી.
It's an unfortunate incident. CM has been taking a minute to minute detail of the accident since morning. Two of us are going to Sidhi as per his instructions. I spoke to concerned officers, as per their information around 30 bodies have been recovered: MP Minister Tulsi Silawat pic.twitter.com/FAShH8lfFf
અકસ્માતની જાણકારી મળતાં જ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે જિલ્લા કલેક્ટર સાથે સીધી વાત કરી હતી અને કલેક્ટરને રેસ્ક્યુ ઑપરેશન ઝડપી કરવાના આદેશ આપ્યા હતાં. તેમણે બાણસાગર ડેમનું પાણી રોકવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સીએમના આદેશ મળ્યા બાદ આવશ્યક વસ્તુઓ ઘટનાસ્થળે પહોંચાડી દેવાઈ હતી.
કેબિનેટ મીટિંગ પણ મોકૂફ
બીજી બાજુ શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું હતું કે આજે 1.10 લાખ ઘરોમાં ગૃહપ્રવેશનો કાર્યક્રમ સંપન્ન કરવાનો હતો પરંતુ સવારે આ ઘટનાની જાણકારી મળથાં જ કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો છે. આ સાથે જ આજની કેબિનેટ મીટિંગ પણ મોકૂફ કરી દેવામાં આવી છે.
नहर काफी गहरी है। हमने तत्काल बांध से पानी बंद करवाया और राहत और बचाव दलों को रवाना किया। कलेक्टर, SP और SDRF की टीम वहां है। बस निकालने के प्रयास हो रहे हैं। मैं राहत और बचाव कार्य करने वाली टीम के संपर्क में हूं। 7 साथी बचाए जा चुके हैं: शिवराज सिंह चौहान https://t.co/tubF4OIjxI