મુંબઈમાં માહિમ બીચ પર ગેરકાયદે દરગાહની અતિક્રમણ જગ્યા તોડી પાડવામાં આવી છે. મહાનગર પાલિકાની ટીમે બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. જણાવી દઈએ કે રાજ ઠાકરેએ બુધવારે ચેતવણી આપી હતી.
રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં કાર્યવાહી
નિર્માણાધીન દરગાહને તોડી પાડવામાં આવી
દરગાહ નહીં હટાવવામાં આવે તે મંદિર બનાવીશ : રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સુપ્રીમો રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં માહિમ બીચ પર નિર્માણાધીન દરગાહને તોડી પાડવામાં આવી છે. બુલડોઝરની મદદથી અતિક્રમણ સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ તેને પણ તોડી રહી છે. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Maharashtra | Demolition drive started at the encroached site of 'Dargah' amid heavy police deployment at Mahim beach in Mumbai after MNS chief Raj Thackeray yesterday alleged that a Dargah is being built here illegally. pic.twitter.com/G0yx2c2Wq2
રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે માહિમ બીચ પર ગેરકાયદે દરગાહ બનાવવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવતા જ ગુરુવારે સવારે બુલડોઝર માહિમ બીચ પર પહોંચી ગયું હતું. અતિક્રમણ સ્થળના ડિમોલિશન દરમિયાન ડઝનબંધ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ 22 માર્ચે એક રેલી દરમિયાન ચેતવણી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે માહિમ બીચ પર દરિયામાં ગેરકાયદે બાંધકામ થયું છે. તેણે તેનો વીડિયો પણ બતાવ્યો. આ દરમિયાન ઠાકરેએ કહ્યું કે માહિમ બીચ પર એક અનધિકૃત કબર બનાવવામાં આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો એક મહિનામાં તેને તોડી પાડવામાં નહીં આવે તો તેની નજીક એક મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની ચેતવણી બાદ અધિકારીઓએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સત્તાધીશોના આદેશથી જ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.