રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 14 હજાર 64એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6 હજાર 793 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 6412 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે અત્યાર સુધી 858 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 10 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 697 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ જીવલેણ બન્યો છે. ત્યારે સોમવારે કોરોનાથી અમદાવાદના બે જાણીતા લોકોના પણ અવસાન થયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસ જીવલેણ બન્યો
કોરોનાને કારણે બિલ્ડર એનજી પટેલનું નિધન
ડો.આદિત્ય ઉપાધ્યયનું પણ કોરોનાના કારણે અવસાન
ગુજરાતમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મોત પણ સૌથી વધુ અમદાવાદમાં થયા છે. ત્યારે રાજપથ કલબના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર એનજી પટેલનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. ભાજપ ડૉક્ટર સેલમાં હોદ્દેદાર રહેલા ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું પણ SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે.