હિન્દુ ધર્મમાં કોઈ પણ કામને શરૂ કરતા પહેલા ભગવાન ગણેશને પૂજવામાં આવે છે. ભગવાન ગણેશને બુધવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે માં દુર્ગાની પણ આરાધના કરવામાં આવે છે.
શું તમારા કામમાં વિધ્ન આવી રહ્યાં છે?
મુશ્કેલી વગર કોઈ પણ કાર્ય પાર પડતા નથી?
બુધવારે કરો લીલી વસ્તુઓનુ દાન
ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમનો આશીર્વાદ મેળવવા માટે બુધવારના દિવસે કઈ લીલી વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવામાં આવ્યું છે. જે અંગે વધુ જાણકારી આપી રહ્યાં છે એક નિષ્ણાંત જ્યોતિષી અને પંડિત.
લીલા મગ- જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ માણસના જીવનમાં પરેશાની ઓછી થતી નથી તો આવા વ્યક્તિએ બુધવારના દિવસે જરૂરીયાતમંદ વ્યક્તિને લીલા મગનુ દાન કરવુ જોઈએ. જેના ઉપાયથી મનુષ્યના જીવનમાં આવી રહેલી પરેશાની ઓછી થવા માંડશે.
લીલી બંગડીઓ- જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો લાંબા સમયથી તમારા કામ બગડી રહ્યાં છે, તો બુધવારના દિવસે સુહાગન મહિલાઓને 11 અથવા 21 લીલી બંગડીઓ ભેટ તરીકે આપવી લાભદાયક માનવામાં આવે છે. આમ કરવાથી તમારા બગડેલા અથવા અધૂરા કામ પૂરા થઇ જશે.
લીલુ ઘાસ- જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે તણાવથી પિડાઈ રહ્યાં છો અને સુખ-સમૃદ્ધીની શોધમાં છો તો બુધવારના દિવસે ગાયને લીલુ ઘાસ અથવા ચારો ખવડાવવો અત્યંત લાભદાયી માનવામાં આવ્યું છે. આમ કરવાથી તમારા જીવનમાં આવી રહેલી ચિંતા દૂર થશે અને તમને સુખ-સમૃદ્ધી મળશે.
કિન્નરોને દાન- જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધવારના દિવસે કોઈ જગ્યાએ જતી વખતે રસ્તામાં કોઈ કિન્નર દેખાય તો તેને શ્રૃંગારનો સામાન, પૈસા અથવા કોઈ પણ જરૂરીયાતનો સામાન અવશ્ય દાન કરો. જેનાથી ખુશ થઇને તમને દુઆ મળશે. માન્યતા છે કે કિન્નરો દ્વારા અપાયેલી દુઆ ક્યારેય નિષ્ફળ જતી નથી. કિન્નરોનો સંબંધ બુધવાર સાથે સંબંધિત હોય છે.