દર વખતની જેમ આ વખતે પણ મધ્યમ વર્ગની નજર ટેક્સ સ્લેબ પર હતી. પરંતુ નાણાંમંત્રીએ પગારદાર વર્ગને નિરાશ કર્યો છે. 2 લાખ હોય કે ત્રણ લાખ અથવા દસ લાખની આવકવાળો વ્યક્તિ કેમ ન હોય. કોઈને પણ રાહત મળી નથી. ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે 45 લાખનું ઘર ખરીદનારને હોમ લોનનાં વ્યાજ પર દોઢ લાખની છૂટ અપાઈ છે પરંતુ આ છૂટનો લાભ માત્ર 31 માર્ચ-2020 સુધી ઘર ખરીદનારાને જ મળશે.
ન્યૂ ઈન્ડિયાનું વચન આપીને પ્રચંડ બહુમતી સાથે ફરી વાર સત્તામાં આવેલી મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યુ. મોદી 2.0નાં આ પ્રથમ બજેટમાં ખેડૂતો, અને ગામડા પર ફોકસ રખાયું છે. સાથે જ કરોડપતિઓ પર ટેક્સનાં ભારને વધારી દેવામાં આવ્યો છે. પરંતુ મધ્યમ વર્ગીઓને ટેક્સમાં જે પ્રકારે રાહતની આશા હતી સરકારે તેનાં પર આ બજેટમાં ધ્યાન આપ્યું હોય તેવું લાગે છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાંમંત્રી તરીકે પોતાનું પ્રથમ બજેટ (Budget 2019) રજૂ કરીને ઈતિહાસ બદલ્યો સાથે જ કશુંક નવું કરવાનો પણ પ્રયત્ન કર્યો. મોદી 2.0 બજેટમાં ખેડૂતો અને ગામડાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું સાથે જ કરોડપતિઓ પર ટેક્સનો થોડો વધારે માર અને ભાર પણ આપ્યો. પરંતુ મધ્યં વર્ગીઓને આ બજેટમાંથી લગભગ કશું હાથ નથી લાગ્યું. નાણાંમંત્રી સીતારમણે પોતાનાં બજેટ ભાષણમાં ફરી એક વાર 2022 સુધીનાં પોતાનાં લક્ષ્યોને રજૂ કર્યા વાત સ્વચ્છ ભારતની હોય કે દરેક ઘરને પાણી પહોંચાડવાની વાત હોય કે દરેક ઘર સુધી વીજળી ઉપલબ્ધ કરવાની વાત હોય આ બધું 2022 સુધીમાં પૂરું પાડવાનો લક્ષ્યાંક રખાયો છે. પરંતુ મીડલ ક્લાસ માટે આ બધી જૂની વાતો છે.
દર વખતની જેમ આ વખતે પણ મધ્યમ વર્ગની નજર ટેક્સ સ્લેબ પર હતી. પરંતુ નાણાંમંત્રીએ પગારદાર વર્ગને નિરાશ કર્યો છે. 2 લાખ હોય કે ત્રણ લાખ અથવા દસ લાખની આવકવાળો વ્યક્તિ કેમ ન હોય. કોઈને પણ રાહત મળી નથી. ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે 45 લાખનું ઘર ખરીદનારને હોમ લોનનાં વ્યાજ પર દોઢ લાખની છૂટ અપાઈ છે પરંતુ આ છૂટનો લાભ માત્ર 31 માર્ચ-2020 સુધી ઘર ખરીદનારાને જ મળશે.
જો કે, તવંગરો પર ટેક્સનો ભાર જરૂર વધારાયો છે. જેની આવક 2 કરોડથી 5 કરોડ સુધીની છે તેનાં પર વધારાનો 3 ટકા સેસ લગાવાયો છે. જેની વાર્ષિક આવક 5 કરોડથી વધારે છે તેનાં પર 7 ટકાનો વધારાનો સેસ ઉંયકાયો છે. એક તરફ મધ્યમ વર્ગ માટે બજેટમાં ખાસ કોઈ છૂટછાટ મળી નથી તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ પર એક એક રૂપિયાનો વધારાનો સેસ લગાવીને મોંઘવારી વધારવાના સંકેત આપી દીધા છે.
સોના ચાંદીનાં ભાવમાં અસહ્ય વધારો થઈ જવાની શક્યતા છે. જે મધ્યવર્ગ માટે મુશ્કેલી સર્જી શકે છે. તો બીજી તરફ સરકારે ઈલેક્ટ્રીક વાહનોને વપરાશમાં લાવવા પર ભાર મૂક્યો છે. તો આ તરફ સીતારમણે પોતાનાં પ્રથમ બજેટમાં નવી શિક્ષાનીતિ અમલી બનાવવાની વાત કરી છે અને તેનાં માટે 400 કરોડ રૂપિયાનાં રોકણની પણ જાહેરાત કરી છે. પરંતુ આ વખતનાં બજેટમાં હેલ્થ સેક્ટરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જો કે પાછલા કાર્યકાળમાં સરકાર તરફથી આયુષ્યમાન ભારત જેવી યોજના લાગુ કરાઈ હતી. પરંતુ આ વખતે તેમાં નવું કશુ અપાયું નથી. આ બજેટ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશનું ડ્રીમ બજેટ છે. આ બજેટમાં ઉદ્યોગ-ઉદ્યમીઓને મજબૂતી મળશે. તેમાં ગામ-ગરીબોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે, આ બજેટમાં કશુ જ નવું નથી. જૂના વાયદાઓનું માત્ર પુનરાવર્તન કરવામાં આવ્યું છે.