બ્રિટનના પીએમ બોરિસ જોનસને કહ્યું કે જે રીતે ભગવાન રામે રાક્ષસ રાજ રાવણને હરાવીને પોતાની પત્ની સીતાની સાથે પાછા ફર્યા હતા. તો લાખો દિવાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બસ આ દિવાળીએ આપણે લોકો કોરોનાની વિરુદ્ધ જીત મેળવીશું.
લોકડાઉન 2 ડિસેમ્બર સુધી રહેશે
નિશ્ચિત રુપથી આગળ મોટા પડકારો છે પરંતુ...
દિવાળીએ આપણે લોકો કોરોનાની વિરુદ્ધ જીત મેળવીશું
જોનસને પ્રધાનમંત્રી કાર્યાલયથી પોતાના સંદેશોમાં કહ્યું કે ભારતીય સમુદાયે સુરક્ષિત દિવાળી માનવવા માટે ઘણા ત્યાગ કર્યા છે અને આ મહામારી સામે લડવામાં પ્રશાસનને સહયોગ આપ્યો છે.
ભારતીયો દ્વારા વર્ચ્યૂઅલ દિવાળી મનાવવાના નિર્ણય પર બ્રિટનના પીએમ બોલ્યા કે મને ખબર છે કે પોતાના લોકોથી દૂર રહીને તહેવાર મનાવવાનું સરળ નથી. એ પણ એવા સમયે જ્યારે તમે લોકો મિત્રોની સાથે મસ્તી કરવા ઈચ્છો છો. તેમની સાથે સમોસા અને ગુલાબ જામુન શેર કરવા ઈચ્છો છો. જોનસને ભારતીયોના ત્યાગ અને સંકલ્પને બિરદાવ્યું છે અને કહ્યું કે આ પ્રયાસ પ્રેરણા આપે છે.
બ્રિટિશ પીએમ જોનસને કહ્યું કે નિશ્ચિત રુપથી આગળ મોટા પડકારો છે પરંતુ મને લોકોની સંકલ્પ શક્તિ, લડવાની ક્ષમતા અને સમજદારી પર ભરોસો છે કે અમે આ રીતે બિમારી પાર લગાવીશું.
બિલકુલ એ રીતે જે રીતે દિવાળી આપણને શીખવે છે કે અંધકાર પર પ્રકાશ, બદી પર અચ્છાઈ અને અજ્ઞાનતા પર જ્ઞાનની જીત થાય છે. ઉલ્લેખનીય છે કે જોનસને ઈંગ્લેન્ડમાં લોકડાઉનના બીજા ચરણમા સફળ બનાવવા માટે લોકોને અપીલ કરી છે. લોકડાઉન 2 ડિસેમ્બર સુધી રહેશે.