બેદરકારી / જૂનાગઢમાં ઝુલે છે મોત: સોનરથ નદી પરના બ્રિજની હાલત બિસ્માર

bridge may be collapsed junagadh sonrath river in Gujarat

જૂનાગઢમાં થોડા સમય પહેલા મેંદરડાથી સાસણ જતા માલકણા નજીક પુલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પરંતુ આ ઘટના બાદ પણ હજુ તંત્રએ કોઇ શીખ લીધી હોય તેવું લાગતું નથી. જૂનાગઢમાં સોનરથ નદી પર આવલા પુલની હાલત અત્યંત બિસ્માર છે. આ પુલ ગમે ત્યારે તૂટી પડે તેવો લોકોને ડર છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેવી હાલતમાં છે. અને પુલ પર જ્યારે પણ કોઇ વાહન પસાર થાય ત્યારે પુલ ધ્રુજી ઉઠે છે પણ તંત્ર હજુ પુલ તુટી પડવાની રાહ જુએ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ