જૂનાગઢમાં થોડા સમય પહેલા મેંદરડાથી સાસણ જતા માલકણા નજીક પુલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પરંતુ આ ઘટના બાદ પણ હજુ તંત્રએ કોઇ શીખ લીધી હોય તેવું લાગતું નથી. જૂનાગઢમાં સોનરથ નદી પર આવલા પુલની હાલત અત્યંત બિસ્માર છે. આ પુલ ગમે ત્યારે તૂટી પડે તેવો લોકોને ડર છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેવી હાલતમાં છે. અને પુલ પર જ્યારે પણ કોઇ વાહન પસાર થાય ત્યારે પુલ ધ્રુજી ઉઠે છે પણ તંત્ર હજુ પુલ તુટી પડવાની રાહ જુએ છે.
દેશમાં 425માંથી 281 બ્રિજ બિસ્માર હાલતમાં
વાહન પુલ પરથી પસાર થતા તમામ લોકોના જીવ જોખમમાં
તંત્ર જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે જ જાગે છે
જૂનાગઢના સોનરથ નદી પરના પુલ વિશે વાહનચાલકોનું કહેવું છે કે જે હાલત માલકણા પુલની જે સ્થિતિ હતી તેના કરતા પણ આ પુલની સ્થિતિ ખરાબ છે. અને આજે નહીં તો કાલે અહિંયા અકસ્માત થવાની શક્યતા છે. ત્યારે પુલની ઉપરની હાલત તો ઠીક પરંતુ જ્યારે પુલને નીચેથી જોવામાં આવે તો પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે શું કરી રહ્યું છે તંત્ર?. ક્યારે આ પુલનું સમારકામ કરાશે? શું કોઇ દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે?
તાજેતરમાંજ ભારતના 425 પુલની તપાસ કરાઈ હતી
સમગ્ર દેશ માં જ્યારે 425 પુલ ની તપાસ કરવા માં આવી ત્યારે તેમાંથી 281 જેટલા પુલ જર્જરિત હાલતમાં મળી આવ્યા, જૂનાગઢ માં જ્યારે દરેક પૂલ ની રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે અનેક જર્જરિત પુલ નજરે આવ્યા
દેશમાં 425માંથી 281 બ્રિજ બિસ્માર હાલતમાં
દેશ માં 425 પુલ ની તપાસ કરતા તેમાંથી 281 પુલ એટલે કે 75 ટકા પુલ ની હાલત ખરાબ જોવા મળી હતી. જૂનાગઢ માં હાઇવે પરના પૂલ ની રિયાલિટી ચેક કરતા સરકાર જાણે કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી હોય તેવું નજરે ચડે છે. લોકો આવા જર્જરિત પુલ ની ફરિયાદ ક્યાં કરવા જાય તે પણ એક મોટો પ્રશ્ન છે.
વાહન પુલ પરથી પસાર થતા તમામ લોકોના જીવ જોખમમાં
સરકાર દ્વારા જ્યારે કરોડો રૂપિયા આ રોડ રસ્તા અને પૂલ ના બાંધકામ માટે ફાળવાઈ છે તે ગ્રાંટો ખરેખર ક્યાં વપરાય છે અને કોની તિજોરીઓ ભરાય છે તે મોટો પ્રશ્ન છે. આ પુલ પરથી સ્કૂલના બાળકોના વાહનોથી લઈને તમામ વાહનો પસાર થાય ત્યારે તેમાં સવાર તમામ લોકોના જીવ જોખમમાં છે.
જૂનાગઢમાં થોડા સમય પહેલા જ પુલ તુટી પડ્યો હતો
થોડા સમય પહેલા જ્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને સાસણ વચ્ચેનો પુલ તૂટવાની ઘટના ઘટી હતી. ત્યારે અનેક રાજકીય નેતા ઓ દુઃખ અને ચિંતા વ્યતીત કરવા દોડી આવ્યા હતા. ત્યારે એ જોતા એવું લાગે છે કે જ્યારે કોઈ દુર્ઘટના બનશે ત્યારેજ તંત્ર દ્વારા કોઈ ચોકસ પગલાં લેવાશે. આવા અનેક પુલ જૂનાગઢ જિલ્લા માં જ છે ત્યારે જૂનાગઢ માં CM અને PM આવી આવી ને મોટી મોટી ગ્રાન્ટ ની જાહેરાતો કરી જાય છે તો ખરેખર આ ગ્રાન્ટ નો ક્યાં ઉપયોગ થાય છે તે વિચારવા જેવું છે.
તંત્ર જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે જ જાગે છે
જ્યારે આ પુલની બિસ્માર હાલત છે ત્યારે ત્યાં શોકેશના પૂતળાની જેમ ટ્રાફિક કંટ્રોલ માટે 2 લોકોને ઉભા રાખી દેવામાં આવ્યા છે પરંતુ તે લોકો પર પણ જીવનું જોખમ છે. આ પુલ પરથી લોડીંગ વાળા ભરેખમ વાહનો નીકળતા હોય છે. આ પુલ ક્યારે તૂટી પડશે તેની કોઈ ગેરંટી નથી. પુલ જ્યારે પડશે અને જાનહાની કે માનહાની થશે ત્યારે તંત્ર સફાળુ જાગશે.