Boris Johnson Government Released A New Film Based On Research Shows Ventilation And Letting In Fresh Air Into Indoor Spaces Can Reduce Risk of Coronavirus
દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવાને લીને બ્રિટનના બોરિસ જોનસનની સરકારે એક નવી ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મમાં કહેવાયું થે કે ઘરની અંદરના સ્થાનોને તાજી હવાથી શુદ્ધ રાખવા. તેનાથી કોરોનાનો ખતરો 70 ટકા સુધી ઘટાડી શકાય છે. આ સાથે શક્ય ત્યાં સુધી ઘરના બારી અને દરવાજા ખુલ્લા રાખવા.
બ્રિટન સરકારે કોરોના મહામારીમાં આપી ખાસ સલાહ
ઘરના બારી અને દરવાજા ખુલ્લા રાખો
આમ કરવાથી કોરોનાનો ખતરો 70 ટકા ઘટશે
લીડ્સ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોની સાથે એક ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમાં કહેવાયું છે કે કોરોના વાયરસ વિના તાજી હવા વિના અંતરિક્ષમાં હવામાં કઈ રીતે સંક્રમિત થાય છે. સંક્રમિત કણોમામં શ્વાસ લેનારા લોકોને જોખમ વધે છે અને નિયમિત રીતે ચોખ્ખી અને ખુલ્લી હવામાં કોરોનાનું જોખમ ઓછું રહે છે. અધિકારીઓએ શોધ્યું કે શુદ્ધ હવામાં શ્વાસ લેવાથી કોરોનાનો ખતરો 70 ટકા સુધી ઘટે છે. દિવસમાં નિયમિત રીતે 15 મિનિટ સુધી બારીઓ ખોલવાની સલાહ આપી છે. રૂમમાં સંક્રમિત કણોને હટાવવા માટે બારીઓને સતત થોડી વાર સુધી ખુલ્લી રાખવાનું કહેવાયું છે. આ સાથે બ્રિટન સરકારે કહ્યું કે કોઈ પણ ઘરેલૂ પ્રણાલી હવાને બહાર કરવાનું કામ કરે છે તેમાં રસોઈ કે બાથરૂમમાં લાગેલા એક્ઝોસ્ટફેનનો પણ સમાવેશ થયો છે. નિયમિત રીતે સંક્રમિત કણોને હટાવવા તેનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું છે.
ફિલ્મમાં બતાવાયું છે કે જે રૂમમાં સાફ હવા હોતી નથી ત્યાંના લોકો ઝડપથી સંક્રમિત થાય છે. ઘરમાં તાજી હવા આવવી જરૂરી છે. હવાને ફરીથી ફ્રેશ કરવી જરૂરી છે. એક સરખી હવા રૂમમાં ફરતી રહેવાથી અને વેન્ટિલેશનના અભાવથી કોરોનાનો ખતરો વધુ રહે છે. આ માટે બારી અને દરવાજા થોડા અંતરે ખોલતા રહો તે જરૂરી છે.
નાના કણોથી પણ ફેલાય છે કોરોના
કોરોના હવાની મદદથી નાના કણો દ્વારા ફેલાય છે. જેને એરોસોલના રૂપમાં ગણવામાં આવે છે. સંક્રમિત વ્યક્તિ નાક અને મોઢાથી શ્વાસ લે છે, બોલે છે કે ખાંસી ખાય છે તો તે વાયરસ ઘરની અંદર જ રહે છે. જો ઘરમાં ફ્રેશ હવા નહીં આવે તો સંક્રમણના કણો હવામાં કલાકો સુધી રહે છે અને વધારે સમય રહે તો તે કોરોના ફેલાવે છે. આ સ્થિતિમાં હવા સાફ રાખો તે વધારે આવશ્યક છે.