ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ સહિત દુનિયાભરમાં કેટલાય દેશોમાં કોરોનાના કેસો ફરી એક વાર ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આવા સમયે ભારત સરકાર એલર્ટ પર છે.
વિશ્વના કેટલાય દેશોમાં કોરોના વધ્યો
ફરીથી લાગી રહ્યા છે લોકડાઉન
ભારત સરકાર પણ સતર્ક, બનાવ્યો આ પ્લાન
ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ સહિત દુનિયાભરમાં કેટલાય દેશોમાં કોરોનાના કેસો ફરી એક વાર ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આવા સમયે ભારત સરકાર એલર્ટ પર છે. તેના નિરાકરણ માટે તૈયારીઓ પણ વધી ગઈ છે. આ જ ક્રમમાં દેશમાં તમામ વ્યસ્કોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો પ્લાન થઈ રહ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની જાણકારી સામે આવી છે. જો કે, હાલમાં આ બાબતને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે, બૂસ્ટર ડોઝ પ્રથમ બે ડોઝની સરખામણીએ ફ્રીમાં મળશે કે ચાર્જ વસૂલવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ચીનના કેટલાય શહેરોમાં ફરીથી એક વાર લોકડાઉન લાગી રહ્યા છે.
વિશ્વના કેટલાય દેશોમાં વધી રહ્યો છે કોરોના
આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં નવા કેસોનો આંકડો દરરોજ 6 લાખનો આંકડો આવી રહ્યો છે. હાલમાં દેશમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને, ફ્રંટલાઈન વર્કર્સને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોના વેક્સિન લગાવામાં આવી રહી છે. કેટલાય રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે વેક્સિન બાળકોમાં ખૂબ જરૂરી છે. જો કે, દેશમાાં હાલ કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોમવારે એક દિવસમાં કુલ 1549 નવા કેસ મળ્યા હતા. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા 25 હજારની આસપાસ છે.
ચોથી લહેરનો ડર
જો કે, ટેન્શનની વાત એ છે કે, કાનપુર આઈઆઈટીએ પોતાની સ્ટડીમાં ભારતમાં 22 જૂન સુધીમાં ચોથી લહેર શરૂ થવાનો દાવો કર્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 180 કરોડથી વધારે રસીના ડોઝ લાગી ચુક્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, વિતેલા કેટલાય મહિનામાં ભારત સહિત દુનિયાની કેટલીય અર્થવ્યવસ્થાઓ સારી એવી રિકવરી કરી હતી. ત્યારે આવા સમયે જો કોરોનાની નવી લહેર આવે છે તો, ફરીથી હેલ્થની સાથે માર્કેટ પર તેની માઠી અસર વર્તાશે અને ઘાતક સ્થિતિ આવશે. જો કે, માનવામા આવી રહ્યું છે કે, હવે આવનારી લહેર પહેલાની સરખામણીએ નબળી હશે, જેની પાછળનું કારણ છે મોટા પાયે થઈ રહેલું રસીકરણ.