કોઈ પણ વ્યક્તિ પોતાના દિવંગત પરિજનની અસ્થિ વિસર્જન પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સુવિધા લઈને કરી શકે છે.
પોસ્ટ વિભાગે શરૂ કરી આ ખાસ સુવિધા
એસ્થિ વિસર્જનથી લઈને કર્મકાંડની જવાબદારી ઉઠાવી
કોઈ પણ તીર્થ સ્થાને થઈ શકશે અસ્થિ વિસર્જન
પોસ્ટ વિભાગે કોરોના અથવા નોન કોરોના ડેથ બાદ અસ્થિઓના સંપૂર્ણ કર્મકાંડથી લઈને વિસર્જન સુધીની જવાબદારી ઉઠાવી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના દિવંગત પરિજનની અસ્થિ વિસર્જન પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સુવિધા લઈને કરી શકે છે. તેના માટે વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયામાંથી કોઈ પણ તીર્થ સ્થાન માટે મોકલી શકાય છે.
પોસ્ટ વિભાગે શરૂ કરી આ પહેલ
પોસ્ટ વિભાગ ઓમ દિવ્ય સંસ્થાના માધ્યમથી અસ્થિઓનું પંડિતો દ્વારા કાર્મકાંડની સાથે વિસર્જન કરવામાં આવશે. કોરોના કાળમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકો તેમના વિધિવત રીતે અસ્થિ વિસર્જન નથી કરી શક્યા. પોસ્ટ નિર્દેશક અને વારાણસી ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઓમ દિવ્ય દર્શન નામના સામાજિક- ધાર્મિક સંસ્થાને મળીને એવા લોકો માટે આ પહેલ કરી છે.
દેશના કોઈ પણ ખૂણામાંથી અસ્થિઓ સ્પીડ પોસ્ટના માધ્યમથી આ જગ્યાઓ પર મોકલી શકાશે. તેનું વિધિવત કાર્મકાંડ ઓમ દિવ્ય દર્શન દ્વારા સંપન્ન કરવામાં આવશે. પશ્ચિમ રાજસ્થાન ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલનું કહેવું છે કે, "કોરોના સંક્રમિત મૃતકોની અસ્થિઓના વિસર્જન માટે આ પ્લાન શરૂ કરવામાં આવશે. હાલ ચાર તીર્થો માટે આ મોટી યોજના છે. ત્યાર બાદ આગળની યોજના તૈયાર કરવામાં આવશે."
કઈ રીતે કરશો અસ્થિ વિસર્જન માટે રજીસ્ટ્રેશન?
કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આ સુવિધા માટે ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન બાદ કોઈ પણ વ્યક્તિ પોતાના પરિજનની અસ્થિઓના પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકશે.
અસ્થિઓના પેકેટને સારી રીતે પેક કરી મોટા અક્ષરોમાં 'ઓમ દિવ્ય દર્શન' લખવાનું રહેશે. પેકેટ પર મોકલનારનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર જેવી જાણકારી લખવાની રહેશે.
સ્પીડ પોસ્ટનો ચાર્જ કવર મેકલનારને જ આપવાનો રહેશે. સ્પીડ પોસ્ટ બુક કર્યા બાદ તેને મોકલનારને સંસ્થાના પોર્ટલ પર સ્પીડ પોસ્ટ બાર કોડ નંબર સહિત બુકિંગ ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે.
પોસ્ટ ઓફિસ દ્વારા પેકેટ રિસિવ કર્યા બાદ તેને ઓમ દિવ્ય દર્શનના એડ્રેસ પર મોકલવામાં આવશે.
દિવ્ય દર્શન સંસ્થા અસ્થિઓનું વિધિવત વિસર્જન કરશે. અને શ્રદ્ધ કરાવશે.
આ વેબકાસ્ટ દ્વારા મૃતકના પરિજન પણ જોઈ શકશે. બધી વિધી કર્યા બાદ મૃતકના પરિવારને પોસ્ટ ઓફિસ દ્વારા એક બોટલમાં ગંગા જળ પણ મોકલવામાં આવશે છે.