ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને પુછ્યું કે ગૌતમ અદાણીની ફર્મમાં 45 હજાર કરોડ રોકણ કરનાર ત્રણ કંપનીના માલિક કોણ છે? તેમનું કહેવું છે કે ત્રણેય કંપનીઓનું એડ્રેસ એક જ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અદાણીની કંપનીઓનું કાળુધન મોરેશિયસ દ્વારા સફેદ કરવામાં આવી રહ્યું છે.
આ મામલામાં કોંગ્રેસે મંગળવારે કહ્યું કે સરકારે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભાગદારી વાળા અમુક એફપીઆઈ ખાતાને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા કથિત રીતે 'ફ્રીઝ' કરવા પર ચુપ્પી તોડવી જોઈએ. પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે એમ પણ કહ્યું કે સરકારને તે વિદેશી રોકાણના પાછળના વ્યક્તિઓની જાણકારી સાર્વજનિક કરવી જોઈએ. તેમણે પોતાના 95 ટકાથી વધારે ફંડનુ રોકાણ અદાણી ગ્રુપની કંપનીઓમાં કર્યું છે.
All the three firms that invested Rs.45,000 crores in Gautam Adani’s companies have the same address in Mauritius. Who are the owners of these three firms? https://t.co/ewY30uGtn0 via @PGurus1
ત્રણેય કંપનીઓનું એક જ સરનામા પર રજીસ્ટ્રેશન
વલ્લભે જણાવ્યા અનુસાર અમુક ખબરોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એનએસડીએલે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી રોકાણકારો-અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ક્રેસ્ટા ફંડ અને અપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તેમને દાવો છે કે આ ત્રણ ફંડ મોરેશિયસના પાર્ટ લુઈમાં એક જ એડ્રેસ પર રજીસ્ટર્ડ છે. સાથે જ તેમણે અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાની ભાગીદારી ખરીદી રાખી છે.
શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તાએ?
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે એનએસડીએલ અને નાણામંત્રીને ચુપ્પી તોડવી જોઈએ અને સત્ય બતાવવું જોઈએ. મહત્વનું છે કે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભાગીદારી રાખતી એફપીઆઈ ખાતાને એનએસડીએલ દ્વારા ફ્રીઝ કરવાની ખબરો બાદ ગ્રુપની કંપનીઓના શેરમાં 25 ટકા સુધી કડાકો બોલી ગયો હતો. ગૌતમ અદાણીની આગેવાની વાળા ગ્રુપે જણાવ્યું કે તેમની પાસે આ વિશે લેખિત સ્પષ્ટીકરણ છે કે આ ત્રણ વિદેશી કંપનીઓના ખાતાને ફ્રીઝ નથી કરવામાં આવ્યા અને આ વિશેની ખબર ભ્રામક છે. આ ત્રણ વિદેશી કંપનીઓ ગ્રુપની કંપનીઓમાં મોટો શેરનો ભાગ ધારેવે છે.
13 લાખની વસ્તી ઘરાવતો દેશ મોરેશિયસ જેવો નાનો દેશ આટલી મોટી રકમનું રોકાણ ભારતમાં કેમ કરી રહ્યો છે? સત્ય એ છે કે આ બ્લેક મનીને મોરેશિયસ દ્વારા વ્હાઈટ કરવામાં આવી રહ્યા છે. જે સૌથી પહેલા વર્ષ 2000માં ત્યારના નાણાંમંત્રી યશવંત સિન્હા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આપણે જોયું કે તેમના બન્ને દિકરા અને પત્ની મોરેશિયસની ઘણી કંપનીઓના ભાગીદાર બન્યા હતા. મોરેશિયસ ટેક્સ હેવન છે, જ્યાં બધા કાળાધનને જમા કરી તેને બીજી તરફ સગેવગે કરવાનું મુખ્ય કામ થાય છે. આ નાના દ્વીપ પર મુખ્ચ વ્યાપાર છે. દરેક ભારતીય સ્ટોક એક્સચેન્જ જોડીતોડીને અને સત્તામાં બેઠેલા લોકોની જાણકારીની સાથે શંકાસ્પદ ભાગીદારી વાળા નોટોની ઉત્પત્તી અહીંથી થાય છે.
ક્રેસ્ટા ફંડની સ્થાપના 2007માં થઈ હતી. તે વર્ષે અદાણી પોર્ટ્સ એન્ડ સેજ લિમિટેડ સાર્વજનિક થઈ ગઈ હતી. આ ફંડમાં સાર્વજનિક રૂતી 10124.8 કરોડ રૂપિયાથી વધુની કુલ સંપત્તિ વાળા 14 શેર છે. 9861 કરોડ અદાણી કંપનીઓમાંથી આવે છે.