કતારગામ બેઠક પરથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાર
વરાછા બેઠક આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયાની હાર
સુરતની 16માંથી 11 બેઠકોમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. જોકે હજી અન્ય બેઠકો ઉપર મતગણતરી ચાલુ છે. સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા હારી ગયા છે. જ્યાં વિનુ મોરડિયા, કલ્પેશ વરિયા, ઈટાલિયા વચ્ચે જંગહતી જ્યાં ભાજપની વિનુ મોરડિયાની જીત થઈ છે. તો વરાછા બેઠક આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર એમની હાર થઈ છે અને એ બેઠક પર પણ કમળ ખીલ્યું છે.
સુરતની વરાછા બેઠકમાં ભાજપ ઉમેદવારની જીત
સુરતમાં ભાજપ ઉમેદવાર કુમાર કાનાણીની જીત થયા બાદ જીત બદલ કુમાર કાનાણીએ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ સમજી વિચારીને મતદાન કર્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, વરાછાના લોકોએ મને સૌથી મોટી ભેટ આપી છે. આ સાથે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપ ઉમેદવાર સંદીપ દેસાઈની ભવ્ય જીત થતાં તેમણે સંદીપ દેસાઈએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ જીત મતદારો અને ભાજપના કાર્યકર્તાઓની છે.
આ તરફ સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદીની ભવ્ય જીત થઈ છે. આ તરફ પુરનેશ મોદીએ હજુ પણ ભાજપ બહુમતીથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાત કમળનું ફૂલ ખીલ્યું છે. ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.
કઈ બેઠક પર કોનો વિજય ?
સુરતની માંગરોળ-ST-17 બેઠક ઉપર ભાજપના ગણપત વસાવા, કામરેજ બેઠક ઉપર ભાજપના પ્રફુલ્લ પાનસેરિયા, સુરત પૂર્વ બેઠક ઉપર ભાજપના અરવિંદ રાણા, વરાછા રોડ બેઠક પર ભાજપના કિશોર કાનાણી, કરંજ બેઠક પર ભાજપના પ્રવીણ ઘોઘારી, મજૂરા બેઠક પર ભાજપના હર્ષ સંઘવી, કતારગામ બેઠક પર ભાજપના વિનોદ મોરડિયા, સુરત પશ્ચિમ બેઠક પર ભાજપના પૂર્ણેશ મોદી, ચોર્યાસી બેઠક પર ભાજપના સંદીપ દેસાઈ, બારડોલી-SC-13 બેઠક પર ભાજપના ઈશ્વર પરમાર અને મહુવા-ST-19 બેઠક પર ભાજપના મોહન ઢોડિયાની જીત થઈ છે.