લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં માત્ર 3 દિવસમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ છે. આ ઘટના 24 પરગનાના કાકીનારામાં બનવા પામી છે. બીજેપી કાર્યકર્તાઓએ આ ઘટના મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે.
આ પહેલા ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થયેલ કાર્યકર્તાની 24 મે હત્યા કરાઇ હતી. આ ઘટના પણ નાદિયામાં બનવા પામી હતી. જ્યારે જલપાઇગુડીમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર મળ્યા છે.
બીજેપી કાર્યકર્તાઓએ કર્યું પ્રદર્શન
સૂત્રો અનુસાર 24 પરગના જિલ્લામાં જે બીજેપી કાર્યકર્તા ચંદન શોની હત્યા કરાઇ છે. તે માત્ર 25 વર્ષના હતા. તેના વિરોધમાં બીજેપી કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. તેમણે આ હત્યાનો આરોપ ટીએમસી નેતાઓ પર લગાવ્યો. સાથે જ આરોપીઓની તત્કાળ ધરપકડ કરવાની માંગ કરી છે.
બીજેપીમાં જોડાવાની સજા
આપને જણાવી કે 24 મે નાદિયાના ચકદાહ વિસ્તારમાં બીજેપીના એક કાર્યકર્તા સંતુ ઘોષની હત્યા કરી દેવાઇ હતી. આ કાર્યકર ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થયો હતો. લોકસભામાં જબરદસ્ત જીત બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ દિલ્હી બીજેપી મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
જલપાઇગુડીમાં ઘર્ષણ
લોકસભા ચૂંટણી તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓમાં ઘર્ષણ ચાલુ છે. શનિવાર રાત્રે જલપાઇગુડીમાં બે રાજનીતિક પાર્ટીના સમર્થક વચ્ચે ઘર્ષણના સમાચાર મળ્ચા છે. જેમા બીજેપીના 3 સમર્થક ઘાયલ થયા છે. જોકે બંને પાર્ટી કાર્યકર્તાઓ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.