નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલાએ ભાજપ પર મનની ભડાશ કાઢવા બહુ મોટો આક્ષેપ કર્યો છે.
નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલા ભાજપ પર ભડક્યા
મનની ભડાશ કાઢવા બહુ મોટો આક્ષેપ કર્યો
કહ્યું, યુપી ચૂંટણી જીતવા ભાજપ નફરત ફેલાવી રહી છે
હિંદુસ્તાનના એટલા ટુકડા થશે કે રોકી નહીં શકાય
નફરતને દેશમાં ચૂંટણી જીતવાનું સાધન ગણાવીને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલાએ એવો આક્ષેપ કર્યો કે ભાજપ યુપી વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે નફરતનો સહારો લઈ રહી છે. તેમણે કહ્યું કે જો આ રીતે નફરત વધતી રહી તો ભારતના એટલા ટુકડા થશે કે તેને રોકી નહીં શકાય.
નફરતની દિવાલ તોડી પાડવી પડશે
પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા અબ્દુલાએ જણાવ્યું કે આપણે કોમવાદની સામે લડવું પડશે. આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેની નફરતની દિવાલ તોડી પાડવી પડશે. આ વગર ભારત કે જમ્મુ કાશ્મીરનું અસ્તિત્વ નથી. જો આપણે ભારતને બચાવવું હશે તો આપણે નફરત પર પૂર્ણવિરામ મૂકી દેવું પડશે.
Balakot! Balakot! Did line (LoC) change? Did we get back any piece of land from Pakistan? Line is still there. We dropped our own aircraft there. What did we get? BJP came to power. They're doing it today too. They're spreading hatred to win UP: NC chief Farooq Abdullah, in Jammu pic.twitter.com/WyrjdIkXZs
ચૂંટણી જીતવા માટે હવે નફરતનું રાજકારણ
તેમણે કહ્યું કે ચૂંટણી જીતવા માટે હવે નફરતનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. આઝાદી પછી દરેક ચૂંટણીમાં મેં આ જોયું છે. મુસ્લિમ નેતાઓને મુસ્લિમ વિસ્તારોમાં લઈ જવાય છે અને હિંદુઓને હિંદુ વિસ્તારોમાં.
બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને ભાજપ સત્તા પર આવ્યો
ફારુક અબ્દુલાએ જણાવ્યું કે બાલાકોટમાં છેલ્લી ચૂંટણી જીતવામાં આવી. બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને ભાજપ સત્તા પર આવ્યો. આજે તેઓ આ જ વસ્તુનું પુનરાવર્તન કરી રહ્યાં છે. આજે તેઓ યુપી અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી જીતવા માટે નફરતનું ઝેર ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે શું બાલાકોટ એરસ્ટ્રાઈકથી દેશની સરહદ બદલાઈ ગઈ. શું આપણે પાકિસ્તાન પાસેથી જમીનનો કોઈ ટૂકડો ઝૂંટવી લીધો. જમીન પર તો લાઈન ઓફ કન્ટ્રોલનું અસ્તિત્વ છે જ.