ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન દલિત નેતા ચંદ્રશેખર આઝાદની સપાના વડા અખિલેશ યાદવ અને આરએલડી પ્રમુખ જયંત ચૌધરી સાથે મિત્રતા નહતી બની પણ પેટાચૂંટણીમાં ત્રણેય નેતાઓ એકસાથે આવ્યા હતા
પેટાચૂંટણીની અસર ભવિષ્યના રાજકારણ પર પડશે
અખિલેશ-જયંત-ચંદ્રશેખરની એકતાની પણ કસોટી
જયંત ચૌધરીએ બનાવી નવી ફોર્મ્યુલા
ઉત્તર પ્રદેશમાં મૈનપુરી લોકસભા સીટ અને રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી પૂરી થઈ ગઈ છે અને 2022ની ચૂંટણીથી ભાજપની સતત જીતની પ્રક્રિયા અટકતી જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટી (SP)ની મૈનપુરી સીટ પર સપાના ઉમેદવાર ડીમ્પલ યાદવે બહુમતથી જીત મેળવી છે એ સામે રામપુર સીટ પર આકાશ સકેસેનાએ હિટ દર્જ કરાવીને કમળ ખિલાવ્યું છે. પણ એ સામે ખતૌલી સીટ આરએલડીના મદન ભૈયાએ જીત મેળવી છે. આવી સ્થિતિમાં ખતૌલી બેઠકમાં હાર મળવીએ ભાજપ અને યોગી સરકાર માટે મોટો ફટકો માનવામાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન દલિત નેતા ચંદ્રશેખર આઝાદની સપાના વડા અખિલેશ યાદવ અને આરએલડી પ્રમુખ જયંત ચૌધરી સાથે મિત્રતા બનતી બનતી બનતી અટકી ગઈ હતી પણ પેટાચૂંટણીમાં ત્રણેય નેતાઓ એકસાથે આવ્યા હતા. આ રીતે પેટાચૂંટણીમાં SP-RLDની પછાત, દલિત અને મુસ્લિમ ફોર્મ્યુલાને ફટકો પડ્યો. પેટાચૂંટણીમાં સપાનું નવું સોશિયલ એન્જિનિયરિંગ રાજકીય સંજીવની બની ગયું અને તેના ચક્રમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
પેટાચૂંટણીની અસર ભવિષ્યના રાજકારણ પર પડશે
હાલ આખા દેશની નજર 2024માં યુપીની નગરપાલિકા અને લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી મૈનપુરી, રામપુર ખતૌલી પેટાચૂંટણી પર છે. પણ મુલાયમ સિંહ યાદવના નિધનને કારણે મૈનપુરીમાં પેટાચૂંટણી યોજાઈ હતી અને કોર્ટ દ્વારા આઝમ ખાન અને વિક્રમ સૈનીને થયેલી સજાને કારણે રામપુર અને ખતૌલી સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી ભલે થઈ પણ તેની અસર ભવિષ્યના રાજકારણ પર પણ પડવાની ખાતરી છે. સપાના સૌથી મજબૂત કિલ્લા મૈનપુરી-રામપુરને તોડીને ભાજપ યુપી ફતહનો સંદેશ આપવા માંગતી હતી જ્યારે આરએલડીના વડા જયંત ચૌધરીએ ખતૌલી બેઠક પર ભાજપને હરાવવા માટે રાજકીય ચક્ર બનાવ્યું હતું.
અખિલેશ-જયંત-ચંદ્રશેખરની એકતાની પણ કસોટી
અંહિયા પેટાચૂંટણીમાં માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ અખિલેશ-જયંત-ચંદ્રશેખરની એકતાની પણ કસોટી થઈ હતી. જણાવી દઈએ કે શિવપાલ યાદવે મૈનપુરીમાં કેમ્પ કર્યો હતો અને ચંદ્રશેખરે રામપુરમાં સપા અને ખતૌલીમાં આરએલડી માટે પ્રચાર કર્યો હતો. પેટાચૂંટણીમાં માયાવતીના ઉમેદવાર મેદાનમાં ન ઉતારવાનો ફાયદો મૈનપુરીમાં સપા અને ખતૌલીમાં આરએલડી મળ્યો એ સાથે જ રામપુરમાં ભાજપને પણ ફાયદો થયો.
જયંત ચૌધરીએ નવી ફોર્મ્યુલા બનાવી
જયંત ચૌધરીએ પોતાના પક્ષને જાટ-મુસ્લિમો સુધી મર્યાદિત રાખવાને બદલે પશ્ચિમ યુપીના રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ખતૌલી બેઠક પર નવો રાજકીય પ્રયોગ કર્યો હતો અને સૈની સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતારવાને બદલે આરએલડીએ ગુર્જર સમુદાયના મજબૂત નેતા મદન ભૈયાને મેદાનમાં ઉતાર્યા હતા અને ચંદ્રશેખર આઝાદ દ્વારા દલિત સમુદાયના મત જીત્યા હતા. જયંત ચૌધરીનો આ પ્રયોગ રાજકીય ખતૌલી બેઠક પર ભાજપ માટે ચિંતાનું કારણ બન્યું હતું અને એ કારણે યોગી આદિત્યનાથ સહિત ભાજપના તમામ નેતાઓએ ખતૌલી સીટ પર પ્રચાર કર્યો હતો. એ છતાં પણ પાર્ટીના ઉમેદવાર રાજકુમાર સૈની માટે જીત મેળવી શક્યા નહીં. આ બેઠક પર જાટ-ગુર્જર-સૈની-મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે અને એ જ સમીકરણને જોતા આ વખતે જયંતે સૈની અને મુસ્લિમને બદલે ગુર્જર સમુદાય પર દાવ લગાવ્યો હતો. આ માટે તેમણે મદન ભૈયા દ્વારા ગુર્જર-મુસ્લિમ-જાટ સમીકરણ બનાવ્યું છે.
મૈનપુરીમાં હિટ રહ્યો અખિલેશનો દાવ
મુલાયમ સિંહ યાદવની કર્મભૂમિ મૈનપુરી સીટ બચાવવામાં સપા પ્રમુખ અખિલેશ યાદવે કોઈ કસર છોડી નહતી. ડિમ્પલ યાદવના નોમિનેશન પછી અખિલેશે મૈનપુરીમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની શરૂઆત કરી દીધી હતી અને એ માટે તેમણે કાકા શિવપાલ યાદવ સાથેની તેમની દરેક સમસ્યા પણ દૂર કરી હતી. આ રીતે ડિમ્પલને મૈનપુરી સીટ પર ઉતારવાનો અખિલેશનો દાવ સફળ રહ્યો હતો.
જણાવી દઈએ કે મૈનપુરી સીટ પર અખિલેશ-શિવપાલ યાદવે મુસ્લિમ મતો જ નહીં પરંતુ બ્રાહ્મણ, બિન-યાદવ ઓબીસી અને દલિત સમુદાયના મતો પણ જીતવાનો પ્રયાસ કર્યો હતો. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપાએ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા અને આવી સ્થિતિમાં દલિત મતો ભાજપની તરફેણમાં જવાની સંભાવના દેખાઈ રહી હતી પણ અખિલેશે પોતે દલિત સમાજમાંથી તમામ વિવિધ જાતિઓને સાથે રાખવા માટે મોરચો રાખ્યો હતો. આ સાથે જ મહિલા મતદારોની મદદ માટે ડિમ્પલ યાદવ પોતે પરસેવો પાડી રહી હતી. શિવપાલે તેમના મતવિસ્તાર જયવંતનગરમાંથી ડિમ્પલ યાદવને બે લાખથી વધુ લીડ અપાવી છે.