સુરેન્દ્રનગરના થાન તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. જેમાં તાલુકા પંચાયતની 15 બેઠકો બિનહરીફનો ફાયદો ભાજપને થયો છે.
સુરેન્દ્રનગરના થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર
તાલુકા પંચાયતની 15 બેઠકો બિનહરીફ
કોંગ્રેસ, અપક્ષ કે, અન્યએ ફોર્મ ન ભરતા બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. તેની સાથે રાજ્યમાં તાલુકા પંચાયતની 16 બેઠકો બિનહરીફ થઇ છે. જિલ્લા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લા પંચાયતની 1-1 બેઠક બિનહરીફ થઈ છે.
તો આ તરફ સુરેન્દ્રનગરના થાન તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. જેમાં તાલુકા પંચાયતની 15 બેઠકો બિનહરીફનો ફાયદો ભાજપને થયો છે. જેમાં કોંગ્રેસ, અપક્ષ કે, અન્યએ ફોર્મ ન ભરતા બિનહરીફ થઈ છે.