VMC દ્વારા ગુરુવાર મોડી રાત્રે હેવમોર સર્કલ અને મલ્હાર પોઈન્ટનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસે મંદિરના સ્થળે જઇ વિરોધ પ્રદર્શન કર્યું છે.
વડોદરામાં મંદિર તોડવા મામલે કોંગ્રેસનો વિરોધ
હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પર મંદિરનુ કરાયું હતું ડિમૉલિશન
પાલિકાએ રાત્રીના સમયે 2 મંદિરોને તોડી પાડ્યાં હતાં
વડોદરામાં મંદિર તોડવા મામલે કોંગ્રેસનો વિરોધ
વડોદરા પાલિકાના ભાજપના શાસકોએ પ્રજાના વિરોધના ડરે ગુરુવાર મોડી રાત્રે ગુપચૂપ રીતે હેવમોર સર્કલ અને મલ્હાર પોઈન્ટનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. બીજી તરફ પાલિકા દ્વારા બ્રિજમાં નડતરરૂપ હોવાનું કારણ આપીને રાતે મિશનને પાર પાડતાં લોકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા BJPના શાસકોએ બ્રિજની કામગીરીની આડમાં GEB પાસે આવેલા હનુમાન મંદીરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ થતાં કામગીરી મુલતવી રાખવી પડી હતી.
હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ મંદિરનુ કરાયુ હતું ડિમોલીશન
ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે મોડી રાત્રે VMCની ટીમે દબાણ શાખાને સાથે રાખી અંધારામાં હેવમોર સર્કલ અને મલ્હારપોઈન્ટનું મંદિર તોડી પાડ્યું છે. આ અંગેની વાતો વહેતી થતાં જ સમગ્ર શહેરમાં તંત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.બીજી તરફ પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. કરણી સેનાએ હનુમાનજીની દેરી સહિત ત્રણ દેરી તોડાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
લોકોના વિરોધના પગલે પાલિકાએ રાત્રે કરી હતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા BJPના શાસકોએ બ્રિજની કામગીરીની આડમાં GEB પાસે આવેલા હનુમાન મંદીરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ થતાં કામગીરી મુલતવી રાખવી પડી હતી.જેથી આ વખતે VMCએ દબાણ શાખાને ટીમને સાથે રાખી અંધારામાં હેવમોર સર્કલ પાસે આવેલી તથા મલ્હાર પોઇન્ટ પાસે મંદિરો તોડી પાડ્યાં છે.