- પ્રજા તો ત્રસ્ત છે જ પણ ધારાસભ્યો પણ નારાજ છે
- ભાજપમાં ઉકળતો ચરુ
- જનતા બાદ ધારાસભ્યોની નારાજગી સામે આવી રહી છે
- આ ભાજપ સરકારની નિષ્ફળતા છે
વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ને સમગ્ર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ સાથે આજે સવારે નારાજ કેતનભાઈને મળવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવવાના હતા પરંતુ તેમની તબિયત એકાએક લથડી છે એવા સમાચાર આવે છે. આ તમામ ઘટનામાં વિપક્ષી નેતાઓએ જે પક્ષના લોકો નથી બોલી શકતા તે ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દેતા ભાજપના જ કેટલાક લોકો રાજીના રેડ થઈ ગયા હોવાની ચર્ચા છે.
અમિત ચાવડાએ શું કહ્યું ?
- પ્રજા તો ત્રસ્ત છે જ પણ ધારાસભ્યો પણ નારાજ છે
- ભાજપમાં ઉકળતો ચરુ
- જનતા બાદ ધારાસભ્યોની નારાજગી સામે આવી રહી છે
- આ ભાજપ સરકારની નિષ્ફળતા છે
- ધારાસભ્યએ મંત્રી-અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે
- મંત્રી-અધિકારીઓ મનમાની કરી રહ્યાં છે
- ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની લડાઇ ચાલી રહી છે
- ગુજરાતમાં મંત્રી પદ મેળવવાની લડાઇ ચાલી રહી છે
- લોકોનું દિલ જીતવામાં રૂપાણી સરકાર નિષ્ફળ
- CM રૂપાણી-નીતિન પટેલને ધરે મોકલવાની રમત ચાલી રહી છે
- ભાજપના કેટલાક નેતાઓ CM-DyCMને ઘરે મોકલવા માગે છે
- અમે આશા રાખીએ છીએ કે 2022 સુધી વિજય રુપાણી જ CM રહે
- ભાજપના લોકો જ મુખ્યમંત્રીને હટાવવા માંગે છે
- CM અડધી પિચે રમવા જશે તો ભાજપના લોકો જ સ્ટમ્પ આઉટ કરશે
પરેશ ધાનાણીએ શું કહ્યું ?
- કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા
- ખાનગીમાં ધારાસભ્યો અમારી પાસે આવી બળાપો કાઢે છે
- આ તો શરૂઆત છે, હજુ વધુ ધારાસભ્યના રાજીનામા આવશે
- ભાજપમાં ઈનામદાર રહી શકે,ઈમાનદાર નહી
- ભાજપના ઇનામદાર બન્યા ઇમાનદાર
- અન્યાય સહન ના કરો, અન્યાય સહન કરવો અપરાધ છે
- કોંગ્રેસમાં આવે તો સ્વાગત તેમનું છે
- કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ તેમને આવકારશે
- ભાજપમાં સરમુખત્યારશાહી છે.
- અત્યારે સરકાર કોઈનું સાંભળતી નથી.
- રાજેન્દ્ર ત્રિવેદી ઇનામદારનું રાજીનામું સ્વીકારે
- કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા રાતોરાત સ્વીકારાતા હતા
- ભાજપની ભય,ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ
- સાચુ બોલનાર કોઇ પણને કોંગ્રેસનો ટેકો