રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોત પર રાજકારણ શરુ થયું છે. ત્યાંરે રાજકોટ દક્ષિણનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પ્રતિક્રિયા આપતાં ડૉક્ટરનાં વ્યવસાય પર નિશાન સાધ્યું છે. ત્યારે જાણો ગોવિંદ પટેલે શું કહ્યું ...
સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સને કામ કરવામાં રસ નથી
ડૉક્ટરોને ખાનગી દવાખાનામાં પ્રેક્ટિસ માટે જાય છે પણ સરકારીમાં આવતા નથી
ડૉક્ટરનો અભ્યાસ માત્ર રૂપિયા કમાવવા માટે કરે છે
જાણો ગોવિંદ પટેલે શું કહ્યું
રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ધારાસભ્યએ બાળકોનાં મોતનાં મામલે સત્ય ઉજાગર કર્યુ છે. રાજકોટનાં દક્ષિણનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પ્રતિક્રિયા આપતાં રહ્યું છે કે, અનુભવી ડૉક્ટરોને સરકારી હોસ્પિટલમાં કામ કરવામાં રસ નથી. ખાનગી દવાખાનામાં પ્રેક્ટિસ માટે ડૉક્ટર જઈ રહ્યાં છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં કામ કરવા માટે ડૉક્ટર તૈયાર થતા નથી.
સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની અછત છે
ગુજરાતમાં તબીબોને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવામાં વધુ રસ છે. ત્યાર બાદ તેમણે ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે ગોવિંદ પટેલે જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની અછત છે. ડૉક્ટરની અછતને પુરવા માટે સરકાર દ્વારા જાહેર ખબર આપવામાં આવે છે, પરંતુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં કામ કરવા માટે આવતા નથી.