વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કર્યું, ઈલેક્ટ્રિક સ્કૂટરથી લઈને હેલ્થ સુધીની સુવિધાની લ્હાણી કરી
ચૂંટણીને લઇને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
મહિલાઓ, શિક્ષણ પર વધુ ભાર મુક્યો
ભાજપે ઢંઢેરામાં વચનોની કરી લ્હાણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ હવે નજીક આવી રહી છે. ચૂંટણીમાં ભાજપે શનિવારે એમનું ઘોષણાપત્ર બાહર પાડ્યું છે. ઘોષણાપત્રમાં ફ્રિના વિવિધ વાયદા કરવામાં આવ્યાં છે. ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે શનિવારે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યું છે.
મહિલાઓ માટે ફ્રિ ઈલેક્ટ્રીક સ્કૂટર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ઘોષણપત્ર બહાર પાડ્યું ત્યારે કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે શિક્ષણથી લઈ સ્વાસ્થ્ય સુધી વ્યવસ્થા અંગે ભાજપ સરકાર વચવબદ્ધ છે. તેમણે કહ્યું કે, શારદા મહેતા યોજના અંતર્ગત શિક્ષણમાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરાવવાળી મહિલાઓને ફ્રીમાં ઈલેકટ્રીક સ્કૂટર આપવામાં આવશે. તેમજ તમણે જણાવ્યું કે, પાંચ વર્ષમાં 1 લાખ મહિલાઓને સરકારી નોકરી આપવામાં આવશે.
ફ્રી સ્વાસ્થય સેવા
જે પી નડ્ડાએ જણાવ્યું કે, રાજ્યની અને દેશની ભાજપ સરકાર લોકોના સારા સ્વાસ્થય માટે ચિંતિત રહે છે અને જેના અનુસંધાને આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરાઈ હતી જે અંતર્ગત અત્યાર સુધી પાંચ લાખ રૂપિયા હેલ્થ છે જે વધારીને 10 લાખ કરવામાં આવશે જેથી ગંભીર બિમારીનો ઈલાજ કરાવી શકાય છે.
વ્હાલી દિકરી યોજના
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, ભાજપ સરકાર શિક્ષણ, સ્વાસ્થય જેવી બાબતોમાં લોકોનું ખ્યાલ રાખે છે. તેમજ વ્હાલી દીકરી યોજના અંતર્ગત મહિલાઓના આર્થિક વિકાસ માટે પણ મદદ કરવામાં આવે છે. આ યોજનામાં એક લાખ 50 હજાર રૂપિયાની સાહય આપવામાં આવે છે.
શ્રમિકોનુ રાખ્યું ખ્યાલ
વિધાનસભા ચૂંટણી અનુલક્ષી ઘોષણાપત્રમાં ભાજપે દરેક વર્ગનો ખ્યાલ રાખ્યો છે. ઘોષણાપત્રમાં ભાજપે એક વાર ફરી ભાજપ સરકાર બનવા પર બધા શ્રમિકોને 2 લાખ રૂપિયા સુધીની ગેરેંટી આપી છે તેમજ લાંબી અને કટિન પ્રોસેસને સરળ બનાવવામાં આવશે.
ફ્રી બસ સેવા
ઘોષણા પત્રમાં લખ્યું છે કે, સિનિયર મહિલાઓ માટે ફ્રી બસ યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જે પી નડ્ડાએ જણાવ્યું કે, રાજ્યમાં જેવી જ ભાજપની સરકાર બનશે એટલે તરત આ યોજના લાગુ કરી દેવામાં આવશે.
ગરીબ બાળકો માટે ઈંસેંટિવ
એસસી,એસટી અને ઓબીસી અથવા આર્થિક રીતે પછાત વર્ગના બાળકોના એડમિશન ટોપ રેકિંગ કોલેજમાં થાય તો તેના ભણતર માટે વન ટાઈમ ઈંસેંટિવની રૂપમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
મફત સાઈકલ યોજના
ભાજપે તેમના ઘોષણાપત્રમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ પર વધુ ફોક્સ કર્યું છે. શિક્ષણમાં સારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ માટે સંકલ્પપત્રમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ધોરણ 9થી 12 વિદ્યાર્થીઓને મફત સાઈકલ વિતરણ કરવામાં આવશે.
ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કિમ
ભાજપે તેમના સંકલ્પપત્રમાં ગરીબ વર્ગના લોકો માટે પણ વિશેષ ધ્યાન આપ્યું હોય તેવુ જણાય છે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે ડાયગ્નોસ્ટિક સ્કિમ હેઠળ કોપર્શ બાનવવામાં આવશે. જેનાથી ઈકોનામિકલી વીકર સેક્શનમાં દરેક પ્રકારની ડાયગ્નોસિસ મફત કરાષે
જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી
- કૃષિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે
- 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને સિંચાઈ સુવિધાનું વિસ્તરણ કરાશે. સુજલામ-સુફલામ અને સૌની યોજના માટે 25 હજાર કરોડ રૂપિયા
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 સી-ફૂડ પાર્ક નિર્માણ કરાશે.
- આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતનાં લોકોને 10 લાખ રૂપિયાનું કવર અપાશે
- ત્રણ સિવિલ મેડિસિટી બનાવવામાં આવશે.
- 20 હજાર સરકારી સ્કૂલના વિકાસ માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે.
- પાંચ વર્ષમાં 20 લાખ રોજગાર અપાશે.
- શ્રમિકોને 2 લાખ રૂપિયાની લોન અપાશે.
- યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે.
- કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે.
- ભારત વિરોધી વિચારધારાને સમાપ્ત કરવા માટે કામ કરાશે.
- જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે.
- ગુજરાતને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે.
- ગુજરાતમાં 1630 કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે.
- સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવામાં આવશે.
- ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
- દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે.
- KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, 1 લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે.
- આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે
- વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે.
- સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.
- આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે.
- સિવિલ એવિએશનમાં NO.1 આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્યન્વિત કરાશે.
- ₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે
- ₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.
- આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લવાશે.
- 'પ્રધાનમંત્રી આવાસ યોજના'ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરાશે.
-PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે.
- ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરાશે.
- આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરવામાં આવશે.
- મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 'બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા'ઓ સ્થાપિત કરાશે.
- શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવશે.
- શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરાશે.
- ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે.
- સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરાશે.
- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે ₹1,000 કરોડ ફાળવવામાં આવશે.