ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આયોજન મુદ્દે મોટા સમાચાર, વિધાનસભા ચૂંટણી અંગે એક અઠવાડિયામાં નિર્ણય લેવાઇ શકે છે- સૂત્ર
વિધાનસભા ચૂંટણી અંગે એક અઠવાડિયામાં નિર્ણય લેવાઇ શકે છે- સૂત્ર
ભાજપે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર બનાવી રણનીતિ- સૂત્ર
ચૂંટણી ગમે ત્યારે આવે અમે તૈયાર છીએ-રઘુ શર્મા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. ચૂંટણીને લઇને દાવપેચ ખેલાઇ રહ્યા છે. તો આ ટાણે નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી લેશે કે કેમ તે ચર્ચા ટોક ઑફ ધ ટાઉન બની છે. નરેશ પટેલ ક્યારે જોડાશે રાજકારણમાં તે અંગે હજી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં તેઓ આ અંગે નિર્ણય લેશે. ત્યારે આ વખતે ચૂંટણી વહેલી યોજાશે કે મોડી તેનો મદાર પર નરેશ પટેલની સ્પષ્ટતા પર રહેલો છે. સૂત્રો પરથી મળતી માગિતી મુજબ એક અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણી અંગે નિર્ણય લેવાઇ શકે છે..મહત્વનું છે કે 14મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થાય છે.
ભાજપે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર બનાવ રણનીતિ- સૂત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આયોજન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી અંગે એક અઠવાડિયામાં નિર્ણય લેવાઇ શકે છે. કારણ કે ભાજપે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર રણનીતિ બનાવી છે. સૂત્રોનું માનીએ તો નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર વહેલી ચૂંટણી આવી શકે છે. અને જો નરેશ પટેલ કોંગ્રેસમાં નહી આવે તો સમયસર જ ચૂંટણી થશે. નરેશ પટેલ સક્રિય રાજકારણ અંગે નિર્ણય ન કરે ત્યાં સુધી ભાજપ ચૂંટણી મોડમાં હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.
ચૂંટણી ગમે ત્યારે આવે અમે તૈયાર છીએ- રઘુ શર્મા
આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે ચૂંટણી ગમે ત્યારે આવે અમે તૈયાર છીએ. જો કોંગ્રેસની સરકાર બનશે તો ભાજપના અનેક કાયદામાંથી મુક્તિ અપાવીશું, તેમજ ચૂંટણીમાં અમે 125 સીટો લઇને આવીશું. તો સાથે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સાચા ઉમેદવારોને લઇને આવશે તો બીજી તરફ નરેશ પટેલ સાથે રઘુ શર્મા સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સારી વાત છે- હાર્દિક પટેલ
તો નરેશ પટેલના કોંગ્રેસ આગમનને હાર્દીકનું નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાત ને બચાવવા માંગતા તમામ લોકો એ આવું જોઈએ.નરેશભાઈની તરફદારી સૌથી પહેલા મેં કરી છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સારી વાત છે. તેમ જણાવ્યું હતું,
નરેશ પટેલ આપી રહ્યા છે તારીખ પર તારીખ
નોંધનીય છે કે નરેશ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં બસ જાહેરાત કરી જ દેવાના છે તેવી અટકળો અને રાજકીય ચર્ચાઓ ઘણા દિવસથી ચાલી રહી છે. પણ દર વખતે નરેશ પટેલ દ્વારા કોઈ નવી જ તારીખ આપી દેવામાં આવે છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે નરેશભાઈ સર્વે કરાવી રહ્યા છે અને એપ્રિલ મહિનામાં જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હવે નરેશ પટેલ કહી રહ્યા છે કે 15મી મેની તારીખ ફાઇનલ છે. હવે જોવાનું એ રહે છે કે નરેશ પટેલ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે.