હાલ ગુજરાતમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને એક પછી એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતાનુ કોરોનાથી મૃત્યુ થયુ છે.
ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું નિધન
બારડોલી ખાતે સારવાર દરમ્યાન થયું મૃત્યુ
મહામંત્રી મોહનભાઇ ગામીતનુ થયુ નિધન
ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું નિધન થયુ છે. બારડોલી ખાતે સારવાર દરમ્યાન કોરોનાથી મોત થયુ છે. ઉચ્છલ તાલુકા મહામંત્રી મોહનભાઇ ગામીતનુ નિધન થયુ છે.
આ નેતા પણ થઈ ચુક્યા છે પોઝિટિલ
કોંગ્રેસના અહેમદ પટેલનું કોરનાથી મોત થઈ ચુક્ય છે જ્યારે ભાજપના અભય ભારદ્વાજનું પણ કોરોનાથી મોત થયુ હતુ એ સિવાય પણ ઘણા ધારાસભ્યો, સાસંદસભ્યો અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ, સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
ગુજરાતમાં કોરોના બેકાબૂ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4598 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
CM રૂપાણીની ગઈકાલે કરી હતી મોટી જાહેરાત
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
લગ્ન પ્રસંગે 100 લોકોને જ મળશે મંજૂરી
લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
અમિત શાહ સાથે સમગ્ર સ્થિતિ મુદ્દે કરાઇ ચર્ચા
નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી. જેમાં રાજ્યની કોરોના કેસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી અને લોકડાઉન અને કર્ફ્યૂ મુદ્દે પણ મંથન કરવામાં આવેલ.
પ્રજાના હિતમાં નિર્ણય લેવાની CM રૂપાણીએ કરી વાત
કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ