શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ગીરસોમનાથમાં ભાજપના કાર્યલય 'સોમ-કમલમ્'નું ખાતમુર્હૂત થશે. આવતીકાલે તેઓ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન પણ કરશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સોમનાથમાં
સોમનાથના શિખરે સુવર્ણ જડિત 11 કળશ અર્પણ કરશે
આવતીકાલે સોમ કમલમ કાર્યાલયનું ખાતમુર્હૂત કરશે
ભાજપના પ્રદેશ પ્રમુખ શુક્રવારે સોમનાથ પહોંચ્યા છે. તેઓ આવતીકાલ શનિવારે સોમનાથ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત શિખર અર્પણ કરશે. મહત્વનું છે કે, સોમનાથ મંદિરના શિખરને સુવર્ણમય કરવા માટે હવે 350 જેટલા સુવર્ણ કળશ બાકી છે.
વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર 'સોમ કમલમ'નું કરશે ખાતમુહૂર્ત
મહત્વનું છે કે, 29 સપ્ટેમ્બરે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમણે રાજ્યની સુખાકારી અને કોરાના મહામારીમાંથી વહેલી મુક્તિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.