શપથવિધિમાં ભાગ લેવા અનેક મહેમાનો સાથે જાણીતા સિંગર ઐશ્વર્યા મજમુદાર અને દિગ્ગજ અભિનેતા મનોજ જોશી પણ ગાંધીનગર પહોંચ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ સાથે પ્રચંડ જીત
ઐશ્વર્યા મજમુદાર અને મનોજ જોશીએ વ્યક્ત કરી ખુશી
આ જીત આપણા બધાની છે અને એટલે જ મને વ્હાલી લાગી રહી છે: ઐશ્વર્યા
બહુ જ આનંદની વાત છે અને અદભૂત આનંદની વાત: મનોજ જોશી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ સાથે પ્રચંડ જીત સાથે ભાજપ આજે સરકાર બનાવવા જઈ રહી છે. તેવામાં ફિલ્મ અભિનેતાથી લઈ સિંગર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આજે બપોરે બે વાગ્યે યોજાનાર શપથવિધિમાં ભાગ લેવા અનેક મહેમાનો સાથે જાણીતા સિંગર ઐશ્વર્યા મજમુદાર અને દિગ્ગજ અભિનેતા મનોજ જોશી પણ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે ભાજપની જીતને લઈ ખુશી વ્યક્ત કરી હતી.
શું કહ્યું ઐશ્વર્યા મજમુદારે ?
જાણીતા સિંગર ઐશ્વર્યા મજમુદારે કહ્યું હતું કે, મને ખબર પડી કે, ભાજપ આટલી બધી બહુમતથી જીત્યું છે, આ જીત આપણા બધાની છે અને એટલે જ મને વ્હાલી લાગી રહી છે. હું જે પાર્ટીના પ્રચાર માટે પહેલા પણ આવેલી હતી તે જ પાર્ટી જ્યારે જીતે છે ત્યારે પોતાની જીત થતી હોય એવો આનંદ હોય છે. અને હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે, આપણે આટલી મહેનત જે સરકાર આપણી માટે કરે છે, એની માટે જે અડધો કલાકનો સમય જે ફાળવવાનો હતો, માત આપવાનો હતો, તે આપ્યો. જેથી મને પણ અનેરો આનંદ છે.
શું કહ્યું મનોજ જોશીએ ?
આ તરફ એકટર મનોજ જોશીએ કહ્યું હતું કે, બહુ જ આનંદની વાત છે અને અદભૂત આનંદની વાત છે કે, 156 સીટ સાથે પ્રચંડ બહુમતીથી ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. એ બહુ જ આનંદની વાત છે અને એ શપથવિધિના કાર્યક્રમમાં સહભાગી થવા હું અહી આવ્યો છું.
આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. આ તરફ મંત્રી મંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારસભ્યોને ફોન આવ્યા હોઇ તેઓ પણ આજે જ શપથગ્રહણ કરશે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે જે બ વધુ 6 મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.
શપથવિધિમાં કોણ કોણ હાજર રહેશે ?
શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના CM ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.