સર્વેક્ષણોમાં ભાજપને 24થી 41 સીટો મળવાનો પૂર્વાનુમાન લગાવવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસનાં ખાતામાં 20થી 40 સીટો આવવાની શક્યતાઓ દેખાઇ રહી છે. નજીકી આંકડાઓ હોવાને કારણે અપક્ષોની ભૂમિકા મહત્વની હશે અને તેમાંથી અમુકએ દાવા કર્યાં છે તે બંને પાર્ટીઓ તેમના સંપર્કમાં છે.
હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરનાં
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
અપક્ષ ઉમેદવારોની મદદ લઇ શકે છે આ પાર્ટીઓ
શિમલા: Exit Poll નાં પૂર્વાનુમાનમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે નજીકી તફાવત દેખાઇ રહ્યો છે જેના પછીથી બંને પાર્ટીઓએ સ્વતંત્ર ઉમેદવારોને પોતાના પક્ષમાં કરવા માટે વાતચીત શરૂ કરી છે. કેટલાક અપક્ષોએ દાવા પણ કર્યાં છે કે બંને મુખ્ય પાર્ટીઓની તરફથી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
મતગણતરીમાં 48 કલાક બાકી
બંને પાર્ટીઓ પોતાના પક્ષમાં એક સ્પષ્ટ નિર્ણયને લઇને દાવા કરી રહી છે પરંતુ તેમના આંતરિક સર્વેક્ષણ અનુસાર જોરદાર ટક્કર થવાની સંભાવના છે તેવામાં અપક્ષો ઉમેદવારોની ભૂમિકા અતિ મહત્વની બને છે. મતગણતરીમાં 48 કલાક બાકી છે ત્યારે બંને પાર્ટીઓ પૂરજોશમાં દેખાઇ રહી છે.
ધર્મશાળામાં યોજ્યું હતું રણનીતિ સત્ર
સૂત્રો અનુસાર ત્રિશંકુ વિધાનસભા કે ભાજપ અમે કોંગ્રેસને સમાન સંખ્યામાં સીટ મળવાની સ્થિતિમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર પોતાના ક્ષેત્રમાં રહેવાની જગ્યાએ અપક્ષ વિધાયકોને જોડાવાનાં પ્રયાસો કરવા માટે શિમલામાં રહે તેવી આશા છે. ભાજપે કેટલાક દિવસો પહેલાં ધર્મશાળામાં એક રણનીતિ સત્ર પણ યોજ્યું હતું જેથી સાધારણ બહુમતી મેળવવામાં વિફળ થતાં તે અલગ-અલગ મુશ્કેલીઓ પર ચર્ચા કરી શકે.
35 વિધાયકોનું સમર્થન
હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે કોઇ પણ દળને ઓછામાં ઓછાં 35 વિધાયકોનું સમર્થન જરૂરી હોય છે પરંતુ સોમવારે બહાર પડેલ એક્ઝિટ પોલનાં પૂર્વાનુમાન અનુસાર કોંગ્રેસ અને ભાજપ આ જાદુઇ આંકડાઓને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. જો કે મતોની ગણતરી 8 ડિસેમ્બરનાં રોજ થશે. સર્વેક્ષણોમાં ભાજપમે 24થી 41 તો કોંગ્રેસને 20થી 40 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આ પક્ષો અપક્ષ ઉમેદવારોની મદદ લઇ શકે છે.
કુલ 91 અપક્ષો છે લિસ્ટમાં
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કુલે 91 અપક્ષો પોતાના નસીબ અજમાવી રહ્યાં છે જેમાંથી આશરે 2 ડઝન એવા ઉમેદવારો છે કે જેમને પાર્ટી તરફથી ટિકીટ ન મળતાં સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યાં છે. રાજનૈતિક દળો એવા ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેની જીતવાની સંભાવના સૌથી વધુ હોય. ભાજપ અને કોંગ્રેસ બંને બહુમત સાબિત કરવા માટે અને સદસ્યોની જરૂરિયાત પડવા પર તેમને પોતાના પક્ષમાં ખેંચવામાં પ્રયત્નો કરી રહી છે.