6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ઘમાસાણ શરૂ થયું છે. ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ત્યારે આ જંગમાં કોણ બાજી મારે તે તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે. કઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે? કોણ મારશે બાજી?
6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો મેદાને
અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈ
ખેરાલુમાં બે ઠાકોર વચ્ચે જંગ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં થરાદ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. ભાજપ, કોંગ્રેસ, NCP અને અપક્ષના 4 ઉમેદવારો આ થરાદની બેઠક પરથી મેદાને છે.
બાયડ બેઠક પર કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. બાયડ બેઠક પર અંતિમ દિવસે 9માંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જ્યારે બે અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા 7 ઉમેદવારો મેદાને છે.
લુણાવાડા બેઠક પર માત્ર 3 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. લુણાવાડામાં તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. ભાજપ, કોંગ્રેસ અને NCP ના ઉમેદવારો મેદાને છે.
રાધનપુર બેઠક પરથી કુલ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેના 10 ઉમેદવારો વચ્ચે પેટાચૂંટણીમાં ટક્કર થશે. કોંગ્રેસ, ભાજપ અને NCP વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ઉમેદવાર છે.
ખેરાલુ બેઠક પર 6માંથી 2 ફોર્મ રદ થયા છે. ખેરાલુ બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કોંગ્રેસ, ભાજપ, NCP અને અપક્ષ વચ્ચે ટક્કર થશે.
અમરાઈવાડી બેઠક પરથી 11 ઉમેદાવારો વચ્ચે ચૂંટણી થશે. જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. અને 2 ડમી ફોર્મ પરત ખેંચવામાં આવ્યાં છે. એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેચતા ચિત્ર સ્પષ્ટ થયું છે.
6 બેઠક પરના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર
બેઠક
ભાજપ
કોંગ્રેસ
1. રાધનપુર
અલ્પેશ ઠાકોર
રઘુ દેસાઈ
2. બાયડ
ધવલસિંહ ઝાલા
જશુભાઈ પટેલ
3. ખેરાલુ
અજમલ ઠાકોર
બાબુજી ઠાકોર
4. લુણાવાડા
જીગ્નેશ સેવક
ગુલાબસિંહ ચૌહાણ
5.અમરાઈવાડી
જગદીશ પટેલ
ધર્મેન્દ્ર પટેલ
6. થરાદ
જીવાભાઈ પટેલ
ગુલાબસિંહ રાજપૂત
પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ કમર કસી
રાજ્યમાં 6 બેઠકો માટે પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ કમર કસી છે. તેમજ અમરાઇવાડી બેઠક પર પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસે જનસંપર્ક કેન્દ્ર પણ ખોલ્યા છે. બંને પક્ષના નેતાઓએ જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રચાર માટે કાર્યકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો વચ્ચે મુકવાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયને અમિત ચાવડા ખુલ્લુ મુકશે જયારે ભાજપ કાર્યાલયનું નીતિન પટેલ ઉદ્વાટન કરશે.