ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપે ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે.
ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
ADVERTISEMENT


ADVERTISEMENT
144 સીટો પર જીત માટે ભાજપે બનાવી છે રણનીતિ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે 6 સપ્ટેમ્બરે 144 લોકસભા સીટો પર પાર્ટીને વધારે મજબૂત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ દરમિયાન આ સીટો પર જીતવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ એવી સીટો છે, જેના પર ભાજપે 2019માં લોકસભા ચૂંટણીમાં બીજા અથવા ત્રીજા નંબર પર રહી હતી, અથવા તો હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ