કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરૂવારે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા થઈ. આ દરમિયાન કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું, પરંતુ આને યોગ્ય રીતે લાગૂ નથી કરાયું. લૉકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરોને તકલીફો પડી. સોનિયા ગાંધીના આ નિવેદન પર કેટલાક ભાજપના અને કેન્દ્રીય મંત્રીઓએ પલટવાર કર્યા છે.
લૉકડાઉનને લઇને ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપ નેતાઓએ સોનિયા ગાંધીના નિવેદન પર જડબાતોડ જવાબ આપ્યો
સોનિયા, રાહુલ અને પ્રિયંકાએ ઉઠાવ્યો હતો પલાયનનો મુદ્દો
અમિત શાહે કહ્યું- રાષ્ટ્રહિત વિશે વિચારે કોંગ્રેસ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોનિયા ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે, પીએમ નરેન્દર મોદીના નેતૃત્વમાં કોરોના વાયરસથી લડવાના ભારતના પ્રયાસોની પ્રશંસા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વ સ્તરે સારી રીતે કરવામાં આવી આવી રહી છે. કોવિડ 19ને હરાવવા માટે 130 કરોડ ભારતીય એકજૂટ છે. છતા પણ કોંગ્રેસ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. આ એવો સમય છે જ્યારે તેમણે પહેલા રાષ્ટ્રહિત વિશે વિચારવું જોઇએ અને લોકોને ભટકાવવાનું બંદ કરવું જોઇએ.
Under PM @narendramodi’s leadership, India’s efforts to fight Coronavirus are being lauded domestically and globally. 130 crore Indians are united to defeat COVID-19.
Yet, Congress is playing petty politics. High time they think of national interest and stop misleading people.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીના વાત પર કટાક્ષ કરતા એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું કે, સંપૂર્ણ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારત સરકારના પ્રયાસોના વખાણ થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી તમામ રાજ્યોની સરકારોને સાથે લઇને ટીમ ઇન્ડિયાના રૂપમાં આ લડાઈ લડી રહ્યા છે. કપરા સમયમાં કોંગ્રેસને એક જવાબદાર રાજકીય પક્ષના રૂપમાં કામ કરવું જોઇએ.
आज पूरा देश एकजुट होकर पीएम नरेन्द्र मोदी के नेतृत्व में कोरोना महामारी के खिलाफ निर्णायक लड़ाई लड़ रहा है।
પોતાના આગામી ટ્વિટમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા નડ્ડાએ કહ્યું કે, આજે જ્યારે આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કોવિડ 19 વિરૂદ્ધ લડાઇ લડી રહ્યો છે, તેવા સમયે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલ નિવેદન સંવેદનહીન અને અશોભનીય છે. આ રાજનીતિ કરવાનો નહીં, દેશની સેવા કરવાનો સમય છે. આપણે એકજૂટ થઇને લડવાનું છે.