દેશમાં સરકારી બેંકની સંખ્યામાં 12થી 5 પર લાવવાની તૈયારી ચાલી રહી છે. આ દિશાના પહેલા ચરણમાં બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુકે બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રા અને પંજાબ એન્ડ સિઘ બેંકમાં સરકારી ભાગીદારી વેચવા પર પગલા ભરાઈ રહ્યા છે. સરકાર તથા બેંકિગ સેક્ટર સાથે જોડાયેલા સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
જેનું વિલય નથી કરવામાં આવ્યું તેનું ખાનગીકરણ થશે
કેટલીક સરકારી બેંકનો કેટલોક ભાગ વેચવાનો વિકલ્પ રહી જાય છે
દેશમાં 4થી 5 સરકારી બેંક હોવી જોઈએ
સૂત્રોના જણાવ્યાનુંસાર સરકારનો વિચાર છે કે દેશમાં 4થી 5 સરકારી બેંક હોવી જોઈએ. એક અધિકારીએ જણાવ્યું કે સરકાર ખાનગીકરને લીને નવો પ્રસ્તાવ બનાવી રહી છે. આ પ્રસ્તાવ બેંકની સંખ્યા ઓછી કરવાની યોજના પર બનાવી રહી છે. આને પહેલા મંત્રીમંડળની સમક્ષ તેને રાખવામાં આવશે. નાણા મંત્રાલયે આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી.
સૂત્રોનું કહેવું છે કે આર્થિક ગતિવિધિઓ ધીમી પડવાના કારણે દેશ અત્યારે ફંડની અછતથી પીડાઈ રહ્યો છે. ત્યારે સરકાર નોન કોર કંપનીઓ અને સેક્ટરમાં સંપતિઓ વેચીને પૈસા ભેગા કરવા માટે ખાનગીકરણની યોજના પર કામ કરી રહી છે. ત્યારે કેટલીક સરકારી સમિતિઓ અને રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે દેશમાં 5થી વધારે સરકારી બેંક ન હોવા જોઈએ. બીજી તરફ સરકાર એવુ કહી ચુકી છે કે કોઈ વિલિનીકરણ નહીં થાય. ત્યારે કેટલીક સરકારી બેંકનો કેટલોક ભાગ વેચવાનો વિકલ્પ રહી જાય છે.
સરકારે ગત વર્ષ 10 સરકારી બેંકોનું વિલય કરી મોટી 4 બેંક બનાવવાનો નિર્ણય કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે હવે સરકાર એવી બેંકોની ભાગીદારી ખાનગી ક્ષેત્રમાં વેચવાની તૈયારી કરી રહી છે જેનું વિલય નથી કરવામાં આવ્યું. બેંકના ખાનગીકરણની આ યોજના એવા સમયે સામે આવી છે જ્યારે બેંકની એનપીએ વધવાની શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે હાલની સ્થિતિનો જોતા આ નાણાકીય વર્ષમાં બેંકોના ખાનગીકરણની દિશામાં પગલુ ભરવામાં નહીં આવે. હાલની સ્થિતિને કારણે અર્થવ્યવસ્થામાં સ્થિરતા દોવા મળી રહી છે. ત્યારે બેંકોના એનપીએ 2 ગણી થવાની શક્યતા છે.