નવી દિલ્હીઃ બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સી પર RBIએ સ્પષ્ટતા કરી છે. RBIએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બિટકોઈનની જેમ ક્રિપ્ટો કરન્સીને પણ કાયદાકીય માન્યતા નથી. ક્રિપ્ટો કરન્સી એ કોઈ કરન્સી નથી કે નથી કોઈ પણ પ્રકારના પૈસા...
RBIએ કહ્યું કે આની કાયદાકિય માન્ય પેમેન્ટ સિસ્ટમમાં કોઇ માન્યતા નથી. RBIએ કહ્યું કે તેઓ પહેલા આના રિસ્કને લઇને બેન્ક અને જનતાને ચેતવણી કરી ચૂક્યા છે. કમિટી આના બીજા પાસા પર પણ ધ્યાન આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટો કરન્સી મામલે RBIએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. ત્યારે આ સોગંદનામા પર RBIએ સ્પષ્ટતા કરી છે.
શું છે સમગ્ર મામલોઃ
બિટકોઇને એક વર્ચ્યુઅલ કરન્સી છે. આને એક ઓનલાઇન એક્સચેન્જના માધ્યમથી કોઇ પણ ખરીદી શકે છે. આની ખરીદી અને વેચાણથી ફાયદો લેવા સિવાય ચૂકવણી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે ભારતમાં એક બિટકોઇનની કિંમત અંદાજિત 65 હજાર રૂપિયા છે. આરબીઆઇએ આના પર પ્રતિબંધ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંકના નિર્ણય હેઠળ બેન્ક અથવા ઇ-વોલેટ દ્વારા બિટકોઇનને નહીં ખરીદી શકાય.
આ નિર્ણય ક્રિપ્ટોકરન્સીની વધતી છેતરપિંડીના મામલા બાદ લેવામાં આવ્યો છે. આરબીઆઇએ બેંક સહિત તમામ નિયમિત ક્ષેત્રોથી બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સી નાણામાં લેવડ-દેવડ કરનારી કંપનીઓ સેવા નહીં આપવા વિશે કહ્યું હતું. ગ્રાહકોના હિતોની રક્ષા અને મની લોન્ડ્રીંગ પર લગામ લગાવવાના ઇરાદે કેન્દ્રિય બેંક દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.