બીટકોઈન મામલો હજુ પણ શમ્યો નથી. પોલીસ અને નેતાઓની સાંઠગાંઠ ધરાવતા આ મામલે ફરી પોલીસને શંકાનાં ઘેરામાં લાવી દીધી છે. રાણીપમાં રહેતાં બીટકોઈનનાં બ્રોકર ભરત પટેલે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેનાં મોત પાછળ તેમણે એક ડીવાયએસપીને જવાબદાર ઠેરવ્યાં છે.
બિટકોઈન મામલો ફરી સળવળ્યો છે અને બીટકોઈન મામલે અમદાવાદનાં એક બ્રોકરે આત્મહત્યા કરાવાનો મામલો સામે આવ્યો છે. બીટકોઈનનાં બ્રોકર ભરત પટેલે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે અને આ આત્મહત્યા માટે જવાબદાર કરાઈ ખાતે ફરજ બજાવતાં ડીવાયએસપી ચિરાગ સવાણીને બતાવાયા છે. ત્યારે શું છે આખી સમગ્ર ઘટનાની હકીકત તે જોઈએ અહીં રિપોર્ટમાં.
બીટકોઈન મામલો હજુ પણ શમ્યો નથી. પોલીસ અને નેતાઓની સાંઠગાંઠ ધરાવતા આ મામલે ફરી પોલીસને શંકાનાં ઘેરામાં લાવી દીધી છે. રાણીપમાં રહેતાં બીટકોઈનનાં બ્રોકર ભરત પટેલે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેનાં મોત પાછળ તેમણે એક ડીવાયએસપીને જવાબદાર ઠેરવ્યાં છે. મૃતક ભરત પટેલની એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11575 બીટકોઈનનાં હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી તેમને ત્રાસ આપતા હતાં. જેનાં કારણે તેઓએ આત્મહત્યા કરી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'મારે ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) અને એમનાં નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. તેઓ મારા ઘરે આવ્યાં હતાં. હું બીટકોઈનનાં ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેસર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાયએસપીએ પણ મને ઘરે આવીને પુરા બીટકોઈન આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેસર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે.'
ભરતભાઈની આત્મહત્યાથી તેના પરિવારજનો પણ ભારે આઘાતમાં સરી પડ્યાં છે અને ન્યાયની માગણી કરી રહ્યાં છે. તો ભરતભાઈની આત્મહત્યા મામલે પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્યુસાઈડ નોટમાં રહેલાં હેન્ડરાઈટિંગની યોગ્ય ખરાઈ કરી તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ અને નેતાની સાંઠગાંઠ ધરાવતાં બિટકોઈનનું ભૂત ફરી ધૂણ્યું છે. પોલીસ પર શંકાની સોય તકાઈ છે. ત્યારે પોલીસ તેની યોગ્ય તપાસ કરે તેવી માગ મૃતક પરિવારજનો કરી રહ્યાં છે.