પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદારદાસ મોદીનો 17 સપ્ટેમ્બરે 68મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા મોદી બાળપણથી જ કંઇક અલગ કરવા ઇચ્છતા હતા. પિતા સાથે સ્ટેશન પર ચા વેચવા સાથે સાથે પોતાની યુવા અવસ્થામાં હિમાલયની ટોચમાં એ પોતાની શોધમાં પહોંચ્યા. ત્યારે દામોદાર દાસ માજ્ઞ 17 વર્ષના હતા.
1974માં વકીલ સાહેબે મોદીને આરએસએસના અમદાવાદ સ્થિત કાર્યાલય હેડગેવાર ભવન બોલાવી લીધા હતા. જ્યાં તેઓ સ્વયં સેવકો માટે ચા નાસ્તો બનાવવાની સાથે 8 9 ઓરડામાં ઝાડું પોતા લગાવતા અને તેની સાથે સાથે વકીલ સાહેબના કપડા પણ ધોતા હતા. રાષ્ટ્રીય સેવક સંઘ સાથે તેમનો પ્રથમ પરિચય આઠ વર્ષની ઉંમરે થયો હતો આ સમયે તેઓ ચાની દુકાન પર કામ કર્યા પછી સંઘની યુવા બેઠકમાં ભાગ લેતા હતા.
બેઠકોમાં ભાગ લેવાનો આશય રાજકારણ પર હતો. તેઓ અહીં પોતાના જીવન પર સૌથી વધુ છાપ છોડનાર લક્ષ્મણરાવ ઇનામદારને મળ્યા હતા જેઓ 'વકીલ સાહેબ' તરીકે જાણીતા હતા.
વર્ષ 1958માં ગુજરાતના વડનગરમાં કેટલાક બાળ સ્વયંસેવકોને સંઘમાં સામેલ કરવામાં આવ્યા હતા. સંઘમાં સામેલ થયેલા આ સ્વયં સેવકોમાં એક નામ નરેન્દ્ર મોદી હતું. તેઓ ત્યારે આઠ વર્ષના હતા. તેઓ 13 વર્ષથી વધારે સમય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
2014માં વારાણસીથી સંસદ બન્યા. લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી જીત્યા બાદ દેશના પ્રધાનમંત્રી બનવાની સાથે જ દેશના યુવાઓ માટે 'સ્ટાઇલિશ આઇકન' બની ગયા.