દેશભરમાં ફેલાયેલ બર્ડ ફ્લૂ બાદ હવે દિલ્હીમાં કાગડાના મોતથી હડકંપ મચ્યો છે. દિલ્હીના મયૂર વિહાર પેજ 3 સ્થિત એ-2 સેન્ટ્રલ પાર્કમાં 100થી વધારે કાગડાના મોતના મામલા સામે આવ્યા છે.
દિલ્હીમાં શંકાસ્પદ રીતે કાગડાનું મોત ચિંતાનો વિષય બન્યું
અત્યાર સુધીમાં લગભગ 100થી વધારે કાગડા મળી ચૂક્યા છે
કાગડાના મોતના બે કારણ હોઈ શકે છે
અત્યાર સુધીમાં લગભગ 100થી વધારે કાગડા મળી ચૂક્યા છે
હાલમાં જ પાર્કનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કાગડાના મોતના ફોટા જોવા મળી રહ્યા છે. સાથે શંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેમના મોત બોર્ડ ફ્લૂના કારણે થયા છે. સેન્ટ્રલ પાર્કના કેર ટેકર ટિંકુ ચૌધરીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતુ કે આ પાર્કમાં કેટલાક કાગડા મૃત હાલતમાં મળ્યા છે. જ્યારે કેટલાક બહુ ખરાબ હાલતમાં હતા. અને તે મરવાની કગાર પર હતા. અત્યાર સુધીમાં લગભગ 100થી વધારે કાગડા મળી ચૂક્યા છે. ટિંકુ ચૌધરીએ જણાવ્યું કે આ વીડિયો પણ તેમણે જ બનાવ્યો હતો.
દિલ્હીમાં શંકાસ્પદ રીતે કાગડાનું મોત ચિંતાનો વિષય બન્યું
કેર ટેકરના જણાવ્યાનુંસાર દિલ્હી સરકારની 2 ડોક્ટરોની ટીમ આજે આ પાર્કમાં સ્થળ મુલાકાતે પહોંચી હતી. વધુ એક ટીમ કાગડાઓને લઈને લેબમાં પરિક્ષણ કરવા માટે લઈ ગઈ હતી. આખરે દિલ્હીના આ પાર્કમાં કાગડાના મોતનું મુળ કારણ શું છે. કેમ કે જે રીતે સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધી છે એ બાદથી દિલ્હીમાં શંકાસ્પદ રીતે કાગડાનું મોત ચિંતાનો વિષય બન્યું છે.
કાગડાના મોતના બે કારણ હોઈ શકે છે
ટિંકુ ચૌધરીએ જણાવ્યું કે એક ડોક્ટરે ફોન પર જણાવ્યું છે કે કાગડાના મોતના બે કારણ હોઈ શકે છે. પહેલું કે વધારે ઠંડી અને બીજું કે બર્ડ ફ્લૂ. જોકે બર્ડ ફ્લૂમાં મોત પાણી ભરાયેલા સ્થળ પર વધારે થાય છે. જેથી મેડિકલ એક્ઝામિનેશન બાદ કહેવું યોગ્ય રહેશે કે દિલ્હીમાં જે કાગડા મર્યા છે તેમના મોતનું કારણ શું છે.