પશ્ચિમ બંગાળ બીરભૂમમાં ટીએમસી નેતા ભાદૂ શેખની હત્યા બાદ હિંસા ફેલાઈ ગઈ. આ ઘટના બાદ બંગાળમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે હવે આ ઘટનાને પીએમ મોદીએ પણ વખોડી છે.
પીએમ મોદીએ બંગાળની ઘટના વખોડી
મમતા બેનર્જીને ભરોસો અપાવ્યો
ગુનેગારોને કડક સજા આપો
પશ્ચિમ બંગાળ બીરભૂમમાં ટીએમસી નેતા ભાદૂ શેખની હત્યા બાદ હિંસા ફેલાઈ ગઈ. અહીં ગુસ્સે ભરાયેલી ભીડે લગભગ એક ડઝન જેટલા ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ હિંસામાં 8 લોકો બળીને ખાક થઈ ગયા હતા. મરનારા લોકોમાં 3 મહિલાઓ અને 2 બાળકો હતા. બંગાળમાં થયેલી હિંસા પર રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
मैं पश्चिम बंगाल के बीरभूम में हुई हिंसक वारदात पर दुख व्यक्त करता हूं, अपनी संवेदना व्यक्त करता हूं।
मैं आशा करता हूं कि राज्य सरकार, बंगाल की महान धरती पर ऐसा जघन्य पाप करने वालों को जरूर सजा दिलवाएगी: PM @narendramodi
ત્યારે હવે આ બાબતને લઈને પીએમ મોદીએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હું બંગાળના બીરભૂમમાં થયેલી હિંસાની ઘટના પર દુ:ખ વ્યક્ત કરુ છું. મારી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા કરુ છું કે, રાજ્ય સરકાર, બંગાળની મહાન ધરતી પર આવા જઘન્ય પાપ કરનારાને જરૂરથી સજા આપશે.
मैं बंगाल के लोगों से भी आग्रह करूंगा कि ऐसी वारदात को अंजाम देने वालों को, ऐसे अपराधियों का हौसला बढ़ाने वालों को कभी माफ न करें: PM @narendramodi
પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના લોકોને આગ્રહ કરવા માગુ છુ કે, આવી ઘટનાઓને અંજામ આપનારા લોકોને, આવા ગુંડાઓનો જોશ વધારનારા લોકોને ક્યારેય માફ ન કરતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને આ વાતનો ભરોસો અપાવું છે કે, ગુંડા તત્વોને ફટાફટ સજા અપાવવા માટે જે પણ મદદ જોઈશે તે આપવામાં આવશે.
केंद्र सरकार की तरफ से मैं राज्य को इस बात के लिए आश्वस्त करता हूं कि अपराधियों को जल्द से जल्द सजा दिलवाने में जो भी मदद वो चाहेगी, उसे मुहैया कराई जाएगी: PM @narendramodi
પીએમ મોદીએ બુધવારે ભારતીય સ્વતંત્રતા આંદોલનના મહાનાયકોને શ્રદ્ધાંજલિ તરીકે બિપ્લોબી ભારત ગેલરીનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, અમર શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની ગાથ દેશના નાના નાના બાળકોના મોઢે પણ છે. આપણે બધાએ આ વીરોની ગાથા, દેશ માટે રાત દિવસ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે.