બિહારમાં સત્તા પરિવર્તન થતાં મહાગઠબંધનની સરકાર બની છે, નીતિશ કુમારના આ નિર્ણયથી ભાજપને ચોક્કસથી આંચકો લાગ્યો છે. જો કે ભાજપે હવે નીતિશ કુમાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે.
બિહારમાં સત્તા પરિવર્તન થતાં મહાગઠબંધનની સરકાર બની
નીતિશ કુમારે આરજેડી સાથે મળીને બનાવી સરકાર
પૂર્વ સહયોગી ભાજપે નીતિશ કુમાર પર પ્રહારો શરૂ કર્યા
બિહારના જમુઈમાં પત્રકારની હત્યા અને લૂટની ઘટનાને લઈને ભાજપે નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે. બિહારમાં સરકાર બદલાયાને થોડા કલાક જ થયા છે. સરકાર બદલાતા ભાજપને બિહારમાં જંગલરાજ દેખાવા લાગ્યું છે. બિહાર ભાજપના નેતાઓએ રાજ્યમાં ચોવીસ કલાકની અંદર ઘટનાઓ ગણાવા લાગ્યા હતા. પત્રકારની ધોળા દિવસે ગોળીઓ મારીને હત્યાને લઈને ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય, પૂર્વ ડેપ્યુટી સીએમ તાર કિશોર પ્રસાદ અને નિત્યાનંદ રાયે આકરા પ્રહારો કર્યા હતા.
2020 के आम चुनाव में प्राप्त जनादेश के साथ विश्वासघात और बिहार के मतदाताओं का अपमान है. बिहार को जंगलराज की ओर पुनः ढकेलने पर जनता निश्चित सबक सिखाएगी ।
નીતિશ સરકાર પર આકરા પાણીએ થતાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, એક તરફ આરજેડીના ખોળામાં બેઠેલી જેડીયૂની સાથે મહાગઠબંધનમાં આવતાની સાથે જ બિહારમાં મહાગઠબંધન ગુંડારાજ પણ આવી ગયું. ઠેર ઠેર દુષ્કર્મ, લૂટ, અપરાધના સમાચાર આવવા લાગ્યા છે. નિત્યાનંદ રાયે નીતિશ કુમારને સવાલ પૂછ્યો છે કે, શું આટલા માટે જ આરજેડી સાથે ગયા હતા, તેનો જવાબ આપો.
एक तरफ RJD की गोद में बैठी जदयू के साथ महागठबंधन आया तो उसके साथ बिहार में महागठबंधन का 'गुंडाराज' भी आ गया। जगह-जगह से दुष्कर्म, लूट, अपराध की खबरें आने लगी हैं।
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદે કહ્યુંક ે, રાજ્યમાં હવે રાષ્ટ્ર વિરોધી તાકતો માથુ ઉચકવા લાગી છે. જંગલરાજની વાપસીના સંકેતો મળવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, મુઝફ્ફરપુરમાં તિરંગાનું અપમાન તેની શરૂઆત છે. તાર કિશોર પ્રસાદે કહ્યું કે, તે 2020ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશની સાથે વિશ્વાસઘાત અને વોટર્સનું અપમાન છે. તેમણે કહ્યું કે, બિહારને જનતાને ફરી એક વાર જંગલરાજ તરફ ઘકેલવા માટે સબક શિખવાડશે.
ભાજપ આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયે પણ બિહારમાં થઈ રહેલા ગુનાને લઈને નીતિશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, બિહારમાં જેડીયૂ-આરજેડી ગઠબંધન સરકારની શરૂઆત એક પત્રકારની ધોળાદિવસે હત્યા અને પટનામાં શોરૂમમાં થયેલી લૂટથી થઈ છે. દલિતો અને પછાત પર અત્યાચાર, અપહરણ, હત્યા અને માફિયા...સ્પષ્ટ છે આવી ઘટનાઓ હવે બિહારનું ભવિષ્ય છે.