અમદાવાદઃ લોક રક્ષક દળના પેપર લીક કાંડ મામલે નવો ચક્રવ્યુહ સર્જાયો છે. આખરે આ પેપર લીક કેવી રીતે થયું અને આ ચક્રવ્યૂહમાં કોણ કોણ સંડોવાયેલું છે તેનો આખરે પર્દાફાશ થઈ ગયો છે. યશપાલ સોલંકી નામમો શખ્સ મુખ્ય સુત્રધારા છે. જેણે આ પેપર મનહર પટેલને આપ્યુ હતું. મનહર પટેલે મુકેશ ચૌધરીને પેપર આપ્યુ હતુ. આ ઉપરાંત રૂપલ શર્મા(પદ્માવતિ) નામની મહિલાને પણ મનહરે પેપર આપ્યુ હતું. બાદમાં રૂપલ શર્માએ આ પેપર પોતાના જાણીતા એવા શખ્સ પીએસઆઈ પીવી ચૌધરીને આપ્યું હતું.
જોકે રૂપલને આ પેપર ખોટું હોવાનો શક જતા તેણે તપાસ માટે રૂપલ શર્માએ ભરત બોરાણા નામના પીએસઆઈને મોકલ્યું હતું. રૂપલે ભરત બોરાણાને વોટ્સએપ પર પેપર મોકલતા ભરત બોરાણાએ આ પેપર ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને વોટ્સએપ કરીને ચેક કરવા મોકલ્યુ હતુ. આખરે આ સમગ્ર પેપરને વિકાસ સહાયે ચેક કરતા ખબર પડી કે આ એજ પેપર છે જે તેમણે કાઢ્યું હતું. આખરે વિકાસ સહાયે આ પરિક્ષાને રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
પોલીસ તપાસમાં શું ખુલ્યું?
પેપરના દિવસે ભરતી બોર્ડના અધ્યક્ષને વહેલા જાણ થઈ હતી. અધ્યક્ષને જાણ થઈ કે LRD પરીક્ષાની આન્સર કી ફરી રહી છે. અધ્યક્ષે આન્સર કી મેળવી અને તપાસ કરી તો વાત સાચી નિકળી. ગાંધીનગર પોલીસ અને ભરતી બોર્ડે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જ પરીક્ષાનો સમય પણ નજીક આવી ગયો હતો. ભરતી બોર્ડના અધ્યક્ષ પાસે બે વિકલ્પો હતા. પરીક્ષા ચાલુ રાખે અથવા તો પરીક્ષા મોકૂફ રાખે એવા બે વિકલ્પો હતા. અધ્યક્ષે ઈમાનદાર અને મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો. ભરત બોર્ડના અધ્યક્ષે પરીક્ષા પહેલા મોકૂફીની સત્તાવાર જાહેરાત કરી હતી.
તપાસ દરમિયાન DGP આવ્યા અને તેમણે જુદી જુદી ટીમ બનાવી. ગાંધીનગર પોલીસની સાથે ATS અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ તપાસમાં જોડાઈ હતી. ભરતી બોર્ડના સભ્યએ ગાંધીનગર સે~ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરી કે પરીક્ષાના દિવસે કેન્દ્રો સુધી પેપર કેવી રીતે પહોંચ્યું?
મનહર પટેલ મુકેશ ચૌધરી અને રૂપલે આન્સર લીક કરીને વહેંચવાનું નક્કી કર્યું હતું. મનહર બાયડનો રહેવાસી છે મુકેશ બનાસકાંઠાના એદ્રાણા ગામનો રહેવાસી છે. રૂપલ(પજ્ઞાવતી) શર્મા ગાંધીનગરની રહેવાસી અને ખાનગી હોસ્ટેલમાં કામ કરે છે. રૂપલ શર્માના પિતા PSI હતા જેમનું અવસાન થઈ ચુક્યું છે. રૂપલ શર્મા તેના સંતાનો સાથે ગાંધીનગરમાં રહે છે.
ગાંધીનગરના વાયરલેસ PSI પણ આ ઘટનાક્રમમાં સામેલ છે. PSIના સગાઓ આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર હતા. PSI પટેલ અગાઉથી જ મનહર પટેલને ઓળખતો હતો. PSI પટેલના સંબંધીના બે દિકરાઓ LRD પરીક્ષાના ઉમેદવાર હતા. PSI પટેલને એ રસ હતો કે તેના સંબંધીના દિકરા પાસ થાય. પેપર ફુટવાનું ષડયંત્ર થયું તેમાં PSIએ સક્રિય ભાગ ભજવ્યો હતો. PSI અને મનહરે રૂપલ શર્મા જ્યાં કામ કરતી હતી તે હોસ્ટેલને કેન્દ્ર બનાવ્યું હતું. હોસ્ટેલમાં બનાસકાંઠાથી ઉમેદવારોને બોલાવવામાં આવ્યા અને જવાબોની ચર્ચા થઈ હતી.
મુકેશ અને રૂપલ પોતે ઉમેદવાર છે અને એવા કેટલાયે ઉમેદવારો છે જેણે પેપર જોયું હતું. મનહરે જયેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા પેપર ગાંધીનગર મોકલાવ્યું હતું. જયેશ પટેલ મનહરનો ખાસ વ્યક્તિ છે અને મનહરના કહેવાથી ગાંધીનગર આવ્યો હતો.
હવે પોલીસ માટે મોટો સવાલ એ હતો કે પેપર મનહર પાસે કેવી રીતે આવ્યું ?
પોલીસ તપાસમાં ખુલ્યું કે લુણાવાડાના યશપાલ સોલંકીએ આ પેપર મનહરને આપ્યું હતું. યશપાલ સોલંકી વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરે છે. યશપાલ સોલંકી 29મી નવેમ્બરે દિલ્હી ગયો હતો. દિલ્હીથી પેપરના આન્સર મેળવીને તે ફ્લાઈટ દ્વારા વડોદરા પરત ફર્યો હતો. વડોદરાથી પહોંચીને યશપાલે તેના સંપર્કના માણસોને પેપર પહોંચાડ્યું છે.
પોલીસ પાસે માહિતી પાક્કી છે કે પેપર દિલ્હીથી લીક થયું છે. યશપાલ સોલંકી લીકકાંડનો મુખ્ય સૂત્રધાર છે જે ફરાર છે. પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી છે. PSI મનહર મુકેશ અને રૂપલ શર્માની પોલીસે ધરપકડ કરી છે. યશપાલની શોધખોળ ચાલુ છે અને તેની ટીમને શોધવાનું કામ ગતિમાન છે. તપાસમાં ખુલ્યું કે આન્સર કી બતાવવાના 1 લાખ રૂપિયા ઉમેદવારે આપવાના પરિણામ આવે અને પાસ થઈ જાય પછી નક્કી કરેલી રકમ આપવાની એવી ડિલ હતી.