નવા ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માંગતા ખેડૂતો 30 ડિસેમ્બરના રોજ સરકારના મંત્રણા કરવાના પ્રસ્તાવ સાથે સંમત થયા છે. જોકે, ખેડૂતો હજુ પણ તેમની નવા ત્રણ કાયદાઓને રદ્દ કરવાની માંગણી પર અડગ છે.
મોદી સરકારના પ્રસ્તાવ સાથે ખેડૂતો સંમત
30 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે ખેડૂતોએ હા પાડી
જો કે હજુ પણ કૃષિ કાયદા રદ્દ કરવાની માંગણીને લઈને ખેડૂતો મક્કમ
આંદોલનકારી ખેડૂત સંગઠનો એ 30 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવાની સરકારના પ્રસ્તાવ પર સંમતિ આપી દીધી છે. જો કે, તેમણે કહ્યું હતું કે આ બેઠકના એજન્ડામાં ત્રણ કૃષિ કાયદાઓ ને રદ કરવા માટેની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવી જોઈએ. સરકારે સોમવાર, 30 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોને વાટાઘાટો માટે બોલાવ્યા હતા. જેના ખેડૂતો પણ આ ચર્ચા માટે સંમત થયા હતા. આ અગાઉ, 29 ડિસેમ્બરે ખેડૂતો એ સરકાર સાથે વાતચીત કરવાની વાટ કરી હતી.
અમારી માંગણીઓ એજન્ડાનો ભાગ હોવી જોઈએ : ખેડૂતો
સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા સૂચિત તારીખે ખેડૂતો બેઠક માટે જવા તૈયાર થયા છે. 26 ડિસેમ્બરે સરકારને આપેલા પત્રમાં, અમે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાની અને MSP માટેની કાયદાકીય ગેરેન્ટી આપવાની વાત એ નવી વાટાઘાટોના એજન્ડાનો ભાગ હોવો જોઈએ, પરંતુ આ છતાં સરકારે આજે એક વિશેષ એજન્ડા આપ્યો છે ઉલ્લેખ નથી. પરંતુ, અમે સરકાર સાથે વાટાઘાટો કરવાના સિદ્ધાંતમાં સંમત થયા છે. '
5 ડિસેમ્બરે થઈ હતી છેલ્લી વાતચીત
સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લી ઔપચારિક બેઠક 5 ડિસેમ્બરે મળી હતી, જેમાં ખેડૂત સંગઠનોના નેતાઓએ સરકારને ત્રણ કાયદાને રદ કરવાની તેમની મુખ્ય માંગ અંગે હા અથવા નામાં જવાબ આપવા જણાવ્યું હતું. વાતચીત ફરી શરૂ કરવા ખેડૂત સંગઠનો ના પ્રસ્તાવની નોંધ લેતા, કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું કે, સરકાર સ્પષ્ટ હેતુ અને ખુલ્લા મનથી તમામ સંબંધિત મુદ્દાઓનો તાર્કિક સમાધાન શોધવા માટે પ્રતિબદ્ધ છે.
મીટીંગ માટે ખેડૂત સંગઠનો દ્વારા પ્રસ્તાવિત કાર્યસૂચિ અંગે સચિવે કહ્યું કે MSP (લઘુત્તમ ટેકાના ભાવ) પ્રાપ્તિ પ્રણાલી અને વિદ્યુત સંશોધન વિધેયક (પાકનું) અને દિલ્હી-NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં વાયુ પ્રદૂષણની બાબતના વટહુકમ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.