સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત
PMLA કોર્ટે સંજય રાઉત અને પ્રવીણ રાઉત જમીન આપ્યા
સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ધરપકડ કરાઇ હતી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. PMLAએ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સંજય રાઉતની સાથે કોર્ટે પ્રવીણ રાઉતને પણ જામીન આપી દીધા છે. સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.
Patra Chawl land scam case | Mumbai's PMLA court to deliver its verdict on the bail plea of ShivSena leader & MP Sanjay Raut today. pic.twitter.com/pClcIJu6fk
પાત્રા ચાલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી EDએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.