કેપિટલ ગેન પર સરચાર્જ વાર્ષિક આવકના સ્લેબ અનુસાર લાગુ પડે છે પરંતુ નિર્મલા સીતારમણે આ નિયમમાં ફેરફાર કરતા હવે વધુ આવક ધરાવતા રોકાણકારોને ફાયદો થશે
બજેટ 2022-23ની મહત્વની જાહેરાત
કેપિટલ ગેઇન પર સરચાર્જ 15 ટકાથી વધુ નહી
કોઇ પણ આવક સ્લેબ પર સરચાર્જ 15 ટકાથી વધારે નહી
બજેટમાં લોંગ ટર્મ કેપિટલથી થનારા કેપિટલ ગેઈન પર લાગુ થતા ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે હવે કોઈપણ કેપિટલ ગેઈન પર સરચાર્જ 15%થી વધુ નહીં આપવુ પડે. આ નિર્ણય અંગે ખાનગી ટીવીએ એક્સપર્ટ બળવંત જૈન સાથે વાતચીત કરતા જાણ્યુ કે આ નિર્ણયથી શું ફાયદો થાય. ત્યારે આવો જાણીએ વિગતવાર
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટે આ અંગે જણાવ્યું કે અત્યાર સુધી વાર્ષિક આવકના સ્લેબ મુજબ લાંબા ગાળાના મૂડી લાભો પર સરચાર્જ વસૂલવામાં આવે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 50 લાખથી વધુ અને એક કરોડ સુધીની હોય તો મકાનના વેચાણ પર ઇંડેક્શન સિવાય 20 ટકા કેપિટલ ગેઇન અને સરચાર્જ ચૂકવવો પડે. સરચાર્જનો દર પણ 30% થી વધુ હોય છે. લાંબા ગાળાના કેપિટલ ગેઇન પર સરચાર્જ કેલક્યુલેશન વાર્ષિક આવકના સ્લૈબ અનુસાર હોય છે. જો કોઇની વાર્ષિક આવક 5થી 10 કરોડ સુધીની હોય તો 30 ટકાથી વધારે સરચાર્જ આપવો પડી શકે છે. એટલે કે ટેક્સનો બોજો આવક અનુસાર વધતો રહે છે. પરંતુ હવે નિર્મલા સીતારમણે એલાન કર્યુ છે કે કોઇ પણ આવક સ્લેબ પર સરચાર્જ 15 ટકાથી વધારે નહી લાગે. જે વધારે આવક જૂથના રોકાણકારો માટે રાહતના સમાચાર છે.
લિસ્ટેડ કંપનીઓના શેર પર પહેલેથી જ 15% સરચાર્જ છે
મહત્વનુ છે કે લિસ્ટેડ કંપનીઓના શેરથી થનારી આવક પર લાંબા ગાળા માટે કેપિટલ ગેઇન ટેક્સ પર મહત્તમ 15ટકા સરચાર્જ લેવામાં આવે છે. હવે બજેટના આ નિર્ણયથી સાથે રિયલ એસ્ટેટ, બોન્ડ, ડિબેન્ચર વગેરે જેવા રોકાણકારો પાસેથી સમાન સરચાર્જ લેવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે નાણાપ્રધાન દ્વારા લેવાયેલું આ વધુ સારું પગલું છે.