વર્ષ 2016થી ડિપ્લોમામાં ડિપ્લોમાંમાં ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરતું SSCના ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ મળશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી છે.
SSCના ગ્રેસિંગના વિદ્યાર્થીઓ માટે જાહેરાત
ગ્રેસિંગના વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં મળશે પ્રવેશ
રાજ્ય સરકારની નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ભેટ
કોરોના કાળમાં મોટા ભાગની શાળાઓની શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું જે બાદ શાળાઓમાં ગ્રેસિંગ સિસ્ટમને આધારે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કરી તેમને આગના વર્ષોમાં પ્રવેસ આપવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યારે માસ પ્રમોશન મળતા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ મેળવવા માટે શિક્ષણમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે.
ગ્રેસિંગના વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં મળશે પ્રવેશ
નવા વર્ષમાં SSCના ગ્રેસિંગના વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ મળશે. મહત્વનું છે કે વર્ષ 2016થી ડિપ્લોમામાં ડિપ્લોમાંમાં ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે રાજ્યમાં સરકારે નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ભેટ આપી છે જેથી હવે પ્રવેશ પ્રક્રાયનો સમય લંબાતા ગ્રેસિંગ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળી શકશે.
પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે આપ્યુ નિવેદન
આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
કમિટીના નિર્ણય બાદ બેઠક કરી નિર્ણય કરાશે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.