બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Big decision of Gujarat government,The contract-based employee may be transferred to another location
Last Updated: 02:46 PM, 15 October 2021
ADVERTISEMENT
કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની હવે બદલી થઈ શકશે.
ADVERTISEMENT
લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઑ બદલીને લઈને માંગ કરી રહ્યા હતા ત્યારે દશેરાના દિવસે સરકાર તરફથી મોટી રાહત કરાર આધારિત કર્મચારીઑને આપવામાં આવી છે. હવે ફિક્સ પગાર ધરાવતા આ કર્મચારીઑ પણ બદલીનો લાભ લઇ શકશે.મહત્વનું છે કે 2015ના પરિપત્ર પ્રમાણે બદલી માટે કોઈ જોગવાઈ ન હતી. જેમાં ફેરબદલ કરી હવે કર્મચારીની પ્રતિનિયુક્તિ આધારે બદલી થઇ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કઈ રીતે કરાર આધારિત કર્મચારી બદલી માટે અરજી કરી શકે?
સરકારના આ નિર્ણયથી હજારો કરાર આધારિત કામ કરતાં કર્મચારીઓને મોટો લાભ થઈ શકશે પોતાના પસંદગીના સ્થળ પર અને ઘર નજીક હવે જગ્યા હશે અને જો સરકારી ધારાધોરણ મુજબ બદલી માટે લાયક હશે તો ટ્રાન્સફર થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.