કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી પાર્ટીના 64 લોકોએ રાજીનામા આપી દીધા છે.
જમ્મુ કાશ્મીરમાંથી કોંગ્રેસનો મોટો ઝટકો મળ્યો
ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ ધડાધડ પડવા લાગ્યા રાજીનામા
64 લોકોએ એક સાથે આપ્યા રાજીનામા
કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી પાર્ટીના 64 લોકોએ રાજીનામા આપી દીધા છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ પણ સામેલ છે. રાજીનામા આપ્યા બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે લોકો સુધી વાત પહોંચાડતા હતા, તે પાર્ટી પ્રોજેક્ટ કરી શકતા નથી. આ જ કારણ છે કે, આજે અમે પાર્ટી છોડી રહ્યા છીએ અને હવે ગુલામ નબી આઝાદ સાથે રહીશું.
64 Jammu & Kashmir Congress leaders including former Dy CM Tara Chand resign from the party in support of Ghulam Nabi Azad.
તારા ચંદ ઉપરાંત પૂર્વ મંત્રી ચૌધરી ધારુરામ, અબ્દુલ મઝીદ વાની, મનોહર લાલ શર્મા, પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ સહિત અન્ય કેટલાય મોટા નેતા અને કાર્યકર્તાઓએ પણ પાર્ટી છોડી દીધી છે. આ અગાઉ જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના ચાર નેતાઓ તથા પાર્ટીના 12 મુખ્ય કાર્યકર્તાઓને પણ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. આ તામ રાજીનામામાં એક વાત કોમન છે, મોટા ભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે. જે ખુદ પોતાની પાર્ટી બનાવાની જાહેરાત કરી ચુક્યા છે.
આ અગાઉ કાશ્મીરમાંથી કઠુઆની બાની વિધાનસભાથી પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મલિક અને બે પૂર્વ વિધાન પરિષદના સભ્ય સુભાષ ગુપ્તા તથા શ્યામલાલ ભગતે પાર્ટી હાઈકમાન્ડને રાજીનામા મોકલી દીધા હતા. આઝાદના નજીકના સહયોગી અને પૂર્વ મંત્રી જી એમ સરુરીએ કહ્યું કે, અમે મલિક, ગુપ્તા અને ભગતના સમર્થનમાં પત્ર મળ્યો છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર કોંગ્રેસના મહાસચિવ મહેશ્વર સિંહ મન્હાસે પણ આઝાદના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે.