ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના વિવાદિત નિવેદન મામલે મંદિર સ્વામીના સમર્થનમાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર સ્વામીના સમર્થનમાં આવતીકાલે ભુજમાં રેલી કાઢશે. આપને જણાવી દઈએ કે, ભુજમાં સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદ મામલે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામિએ વિવાદિત નિવેદન આપ્યું હતું.
માસિક ધર્મ મુદ્દે કૃષ્ણસ્વરૂપ સ્વામીની ટિપ્પણી
ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્વામીની તરફેણમાં
બુધવારે રેલી અને જાહેરસભા
મહિલાઓના ઋતુધર્મ વિશે સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બાદ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્વામીના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પડઘા પડ્યા છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરે સ્વામીની તરફેણ કરી છે. સ્વામીના પક્ષમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા રેલી અને જાહેરસભાનું આયોજન કરાયું છે.
શું કહ્યું હતું સ્વામીએ?
ભુજમાં સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદ મામલે સોમવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. હવે તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. ત્યારે સ્વામીના આ વીડિયોને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે.
મહત્વનું છે કે, ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાની નોંધ મહિલા આયોગે પણ લીધી છે.