21મી સદીમાં આ દરમિયાન મહિલાઓ અને બાળકીઓની સાથે જે રીતે હેવાનીયત ભરી ઘટનાઓ થઈ રહી છે. જેને જોતા દિવસેને દિવસે માણસાઈ પરથી ભરોસો ઉઠતો જઈ રહ્યો છે. હાથરસ, બલરામપુરની ઘટનાઓ બાદ હવે મધ્ય પ્રદેશની ઘટના બાદ તમારું કાળજું કપાઈ જશે. 2 દિવસની એક બાળકીને સ્ક્રુડ્રાઈવરથી 100 વાર ઘોંસવામાં આવ્યું આ બાદ ખૂનથી લથપથ તેના મૃતહેદને સાલમાં લપેટીમાં ભોપાલના અયોધ્યા નગરમાં એક મંદિરની પાસે ફેંકી દેવામાં આવ્યો.
તેના શરીરને સ્ક્રૂડ્રાઈવરથી વીંજી નાંખવામાં આવ્યું હતુ
મંદિર પાસે ફેંકી દીધો મૃતદેહ
જાણકારી મુજબ 2 અઠવાડિયાની અંદર નવજાતની હત્યાની આ ત્રીજી ઘટના છે. પોલીસ નવજાતની ઓળખ કરી રહી છે. અયોધ્યા નગર એસએચઓ રેણુ મુરાબે કહ્યું કે પોલીસને ગુરુવારે સવારે 7 વાગે માહિતી મળી હતી કે મંદિર પાસે એક નવજાતની લાશ મળી છે. પોલીસે ત્યાં જઈને જોયું તો બાળકીના શરીરમાં અનેક નિશાનો હતા. તેના શરીરને સ્ક્રૂડ્રાઈવરથી વીંજી નાંખવામાં આવ્યું હતુ.
શરુઆતમાં પોલીસને લાગ્યું કે કોઈએ મંદિર પાસે બાળકને તરછોડી દીધું હશે તો કોઈ જાનવરે બાળકી સાથે આવું કર્યુ હશે. પણ જ્યારે લાશની ઓટોપ્સી રિપોર્ટ આવ્યો અને ડોક્ટરે જે કહ્યું તે સાંભળી પોલીસકર્મીનું કાળજુ જાણે હાથમાં આવી ગયુ. 2 દિવસની આ બાળકીને સ્ક્રુડ્રાઈવરથી 100 વાર ઘોંસવામાં આવ્યું. પોલીસે હત્યાનો કેસ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.