ભાવનગરઃ નીચાકોટડા સહિતનાં ગામોમાં માઈનિંગનાં વિરોધ મામલે પોલીસ દ્વારા 92 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં જેલમાં બંધ 92 લોકોનાં જામીન અંગે આજે ચુકાદો આવી શકે છે. મંગળવારે કોર્ટમાં તમામ દલિલો પૂર્ણ થઈ હતી. મહત્વનું છે કે 1 સપ્તાહ પહેલાં નીચા કોટડા ગામમાં માઈનિંગ બંધ કરવા માટે લોકો ત્યાં પહોંચી ગયાં હતાં.
આ દરમ્યાન લોકો એટલે કે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમ્યાન ગ્રામજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ગ્રામજનોનાં હુમલાનાં જવાબમાં પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. જો કે મહત્વનું છે કે આ મામલે પોલીસે 92 લોકો સામે ફરિયાદ નોંધી હતી.
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં એટલે કે એક સપ્તાહ પહેલાં ભાવનગર જિલ્લાનાં તળાજા-મહુવા તાલુકાનાં દરિયાકાંઠાની આસપાસનાં ગામડાંઓમાં અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલ માઇનીંગની કામગીરીને લઇને આસપાસનાં ગ્રામજનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે નીચા કોટડા ગામે ખેડૂતો દ્વારા માઇનીંગનું કામ શરૂ કરાતાં ઉંચા-નીચા કોટડા સહિતનાં કેટલાંક ગામડાંઓનાં ખેડૂત લોકો એકઠાં થયાં હતાં.
ત્યારે મહત્વનું છે કે આ ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી અને સૂત્રોચ્ચાર કરાતાં ઘટનાસ્થળે પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. એવાં સમયે ખેડૂત દ્વારા પથ્થરમારો કરાતાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જેને લઇને બાદમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાદમાં નીચા કોટડા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
આ ઘટનાને લઇને ગ્રામજનોએ પોલીસ પર કરેલાં હુમલામાં પોલીસે ટીયરગેસ પણ છોડ્યાં હતાં અને લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે માઇનીંગનાં વિરોધ મામલે પોલીસ દ્વારા 92 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે હવે જેલમાં બંધ આ 92 લોકો સામે તેઓની જામીન અંગે ચુકાદો આવી શકે તેમ છે.