ભાવનગર: રંઘોળા ગામમાં થયેલા અકસ્માતને લઇને આજે PM મોદીએ સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ મૃતકના પરિવારને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી બાજુ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 38 પર પહોંચ્યો છે. સારવારમાં રહેલા ઇજાગ્રસ્તોમાંથી 2 દર્દીઓના મોડી રાત્રે મોત થયા હતાં જ્યારે કાલે પણ એક યુવતીનું મોત થતાં મૃત્યુઆંક વધીને 38 પર પહોંચ્યો છે. મૃતકોની ઓળખ અનિડાના શોમજી પરમાર અને તળાજાના દિપક પરમાર તરીકે થઇ છે.
ઉલ્લેખનિય છે કે મંગળવારે જાન લઇને જીકરાને પરણાવા નિકળેલા પરિવારનો અકસ્માતમાં થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે 27 લોકોના મોત થયા હતા અને ત્યારબાદથી સારવાર દરમિયાન અત્યાર સુધી કુલ 11 લોકોના મોત થઇ ગયા છે. આમ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 38 પહોંચ્યો છે.